એવું તે શું કારણ હતું કે, Sanjay Duttએ Amitabh Bachchan સાથે કામ કરવાની ના પાડી દીધી હતી
આજે બધા જ બોલીવુડના સિતારાઓ સદીના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે કામ કરવા આતુર હોય છે. બોલીવુડના સિતારાઓની ઈચ્છા હોય છે કે, અમિતાભ બચ્ચન સાથે કામ કરે. એક એવો પણ સમય આવ્યો હતો કે, સંજય દત્તે (Sanjay Dutt) અમિતાભ સાથે કામ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
આજે બધા જ બોલીવુડના સિતારાઓ સદીના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે કામ કરવા આતુર હોય છે. બોલીવુડના સિતારાઓની ઈચ્છા હોય છે કે, અમિતાભ બચ્ચન સાથે કામ કરે. બોલીવુડમાં એક એવો શખ્સ છે જેને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. એક એવો પણ સમય આવ્યો હતો કે, સંજય દત્તે (Sanjay Dutt) અમિતાભ સાથે કામ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
વર્ષ 1992માં આવેલી ફિલ્મ ‘ખુદા ગવાહ’માં સંજય દત્તને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો. આ ફિલ્મ સંજય દત્તે એ માટે ઠુકરાવી દીધી હતી કે, બિગ બી એક ગેસ્ટ રોલમાં નજરે આવાના હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંજય દત્તને આ ફિલ્મ માટે પહેલા સંપર્ક કરવામાં આવ્યો હતો. સંજય દત્તે આ ફિલ્મનો ઇનકાર કરતા કહ્યું કે બિગ બી ની ફિલ્મમાં ભૂમિકા નિભાવવા પર સંજય દત્તને સ્ક્રીન ટાઈમ નહીં મળી શકે અને લોકો તેને વધુ નહીં જુએ. ફિલ્મ ‘ખુદા ગવાહ’ ના ડિરેક્ટર મુકુલ એસ આનંદે સંજય દત્તને આ ફિલ્મ સાઇન કરવા વિનંતી કરી હતી. પરંતુ આવું કશું બન્યું નહીં.
સંજય દત્તનો અમિતાભ બચ્ચન સાથે 2002 માં રિલીઝ થયેલી ફિલ્મ કાંટે માટે કામ કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, સંજય દત્ત છેલ્લે ફિલ્મ સડક 2 માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ સંજય દત્ત સાથે જોવા મળી હતી.