રણબીર કપૂરે જણાવ્યું કે 15 વર્ષથી તેને કયા વ્યસનની લત લાગી હતી ?
Ranbir Kapoor : રણબીર કપૂરે કહ્યું કે તે 15 વર્ષથી નિકોટિનનો વ્યસની છે, ત્યારે તેના ડૉક્ટરે તેને ધૂમ્રપાન છોડવામાં મદદ કરી હતી. આ માટે તેના કાનમાં ઈન્જેક્શન આપ્યું હતું.
બોલિવૂડના જાણીતા એક્ટર રણબીર કપૂરે (Ranbir Kapoor) તેના નિકોટીનની લત (Nicotine’s Addiction) વિશે ખુલાસો કર્યો હતો. ‘બૉલીવુડ ક્રશ’થી જાણીતા અભિનેતાએ કહ્યું હતું કે તે 15 વર્ષનો હતો ત્યારથી તે નિકોટીનનો વ્યસની હતો. તેણે ધૂમ્રપાન છોડવા માટેના તેના સંઘર્ષ વિશે પણ વાત કરી હતી. કપૂર પરિવારમાં ખુશીના દિવસો છે કારણ કે બોલીવુડ અભિનેતા રણબીર કપૂર તેની પ્રેમિકા આલિયા ભટ્ટ (Alia Bhatt) સાથે લગ્ન કરી રહ્યો છે. જો કે, તે બંનેએ તેમના નજીકના લગ્ન વિશે સૂચક મૌન સેવ્યું છે, ત્યારે સૂત્રો જણાવી રહયા છે કે, આલિયા અને રણબીર એપ્રિલના બીજા સપ્તાહમાં લગ્ન કરશે. અત્યારે રણબીર કપૂરનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાયરલ થઇ રહ્યો છે. જેમાં અભિનેતાએ તેના 15 વર્ષથી પણ વધુ સમય જુના વ્યસન વિશે વાત કરી હતી.
રણબીર, જે ભાગ્યે જ પ્રસંગોએ તેના અંગત અને વ્યાવસાયિક જીવન વિશે ખુલીને વાત કરે છે, તેણે એકવાર વાત કરી હતી કે તે કેવી રીતે 15 વર્ષની ઉંમરથી નિકોટિનનો વ્યસની બની ગયો હતો.
અભિનેતાએ, GQ India સાથેના એક ઇન્ટરવ્યુમાં, સમજાવ્યું હતું કે કેવી રીતે તેને ધૂમ્રપાન છોડવા માટે ઑસ્ટ્રિયામાં ડૉક્ટર પાસે જવું પડ્યું. તે સમયે, અભિનેતાએ એ પણ ખુલાસો કર્યો હતો કે ડૉક્ટરે તેને ધૂમ્રપાન છોડવામાં મદદ કરવા માટે તેના કાનમાં એક વખત ઇન્જેક્શન પણ આપ્યું હતું.
View this post on Instagram
“મેં 4 મહિના માટે ધૂમ્રપાન છોડી દીધું અને પછી ગયા મહિને જ ફરી સિગારેટ પીવાનું શરૂ કર્યું – દિવસમાં માત્ર 1 કે 2. તે એવી વસ્તુ છે જેનાથી મને ડર લાગે છે કારણ કે હું 15 વર્ષની હતી ત્યારથી નિકોટિનનો વ્યસની છું અને તે સૌથી ખરાબ પ્રકારનું વ્યસન છે. તે મને ઑસ્ટ્રિયાની ટ્રીપ લઈ ગયો, આ ડૉક્ટર પાસે, જેણે મને કાનમાં ઈન્જેક્શન આપ્યા, મને પહેલી વાર ધૂમ્રપાન છોડવામાં મદદ કરી કારણ કે મને નથી લાગતું કે મારી પાસે તેને મારી જાતે છોડી દેવાની ઈચ્છાશક્તિ છે,” અભિનેતા એમ કહ્યું હતું.
અત્યારે તો જો કે, અભિનેતા વ્યસન નથી કરી રહ્યો અને તે તેના અંગત જીવન અને વ્યાવસાયિક જીવન માટે સતત સમાચારમાં બની રહે છે. જો કે, વર્ક ફ્રન્ટમાં જોઈએ તો, રણબીર કપૂર અયાન મુખર્જીની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રનો ભાગ હશે. લાંબા સમયથી બની રહેલી આ ફિલ્મ આખરે પૂર્ણ થઇ ચુકી છે અને ફિલ્મની રિલીઝને લઈને સમગ્ર ટીમ ખુબ ઉત્સાહિત છે. આગળ, અભિનેતા પાસે શમશેરા અને લવ રંજન જેવી ફિલ્મો પણ હાથમાં છે.
View this post on Instagram
આ પણ વાંચો – Ranbir Alia Wedding : સ્ટાર કપલના લગ્ન પૂર્વે, ઋષિ અને નીતુ કપૂરના રિસેપ્શન કાર્ડ થયું વાયરલ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો