Salman Khan વિરુદ્ધ ખોટી એફિડેવિટ કેસમાં ગુરુવારે ચુકાદો આવશે
અભિનેતા સલમાન ખાન વિરુદ્ધ વર્ષ 2003માં અદાલતમા શસ્ત્ર લાઇસન્સ સંબંધિત એક ખોટું સોગંદનામું રજૂ કરવાના મામલે કરેલી અરજી પર જોધપુર જિલ્લા અને સેશન્સ કોર્ટ ગુરુવારે પોતાનો આદેશ જાહેર કરી શકે છે.
અભિનેતા Salman Khan વિરુદ્ધ વર્ષ 2003માં અદાલતમા શસ્ત્ર લાઇસન્સ સંબંધિત એક ખોટું સોગંદનામું રજૂ કરવાના મામલે કરેલી અરજી પર જોધપુર જિલ્લા અને સેશન્સ કોર્ટ ગુરુવારે પોતાનો આદેશ જાહેર કરી શકે છે.આ અરજી પર દલીલો મંગળવારે પૂર્ણ થઈ હતી અને ન્યાયાધીશ રાઘવેન્દ્ર કચ્છવાલા તેની પર ચુકાદો 11 ફેબ્રુઆરી સુધી અનામત રાખ્યો છે.
જૂન 2019 માં ટ્રાયલ કોર્ટે ખાનને ખોટુ સોગંદનામું દાખલ કરવાના આરોપમાં નિર્દોષ જાહેર કર્યો હતો. પરંતુ રાજ્ય સરકારે આ હુકમ સામે જિલ્લા અને સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.સરકારી વકીલે દલીલ કરી હતી કે તેણે લાયસન્સ ખોવાયું ન હતું પરંતુ રિન્યુ માટે રજૂ કર્યું હતું. તેમજ તેમણે ખોટું સોગંદનામું રજૂ કર્યું હતું.
Salman Khan ના વકીલ એચ.એમ. સારસ્વતે જણાવ્યું હતું કે, અમે દલીલ કરી હતી કે આ સોગંદનામું અમે જાણી જોઈને રજૂ કર્યું ન હતું કારણ કે ખાન એક વ્યસ્ત અભિનેતા છે અને તે સમયે તેમના લાઇસન્સ વિશે કોઈ ચોક્કસ માહિતી નહોતી.