રણબીર-આલિયા અને વરુણ-નતાશા લગ્નની તસવીરોમાં જોવા મળી અનોખી સામ્યતા, જુઓ Photos
એક Reddit પોસ્ટે એપ્રિલ 2022માં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના (Alia Bhatt) લગ્ન અને જાન્યુઆરી 2021માં વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નની તસવીરો વચ્ચે અનેક સમાનતા દર્શાવી હતી. જે પોસ્ટ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે.
એક Reddit પોસ્ટે તાજેતરમાં, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Ranbir Kapoor & Alia Bhatt) અને વરુણ ધવન અને નતાશા દલાલના (Varun Dhawan & Natasha Dalal) લગ્નની તસવીરો વચ્ચે અસાધારણ સામ્યતા દર્શાવી છે. રણબીર અને આલિયાએ તાજેતરમાં 14/04/2022ના રોજ તેમના ઘરે એક પ્રાઇવેટ સમારોહમાં લગ્ન કર્યા હતા, જ્યારે વરુણ ધવન અને નતાશા દલાલે 24/01/2021ના રોજ અલીબાગના બીચ રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. આ બંને સ્ટાર કપલ તેમના Bridal Look માટે પેસ્ટલ શેડ્સ પસંદ કર્યા હતા. આ પોસ્ટ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
Reddit યુઝરે વરુણ અને નતાશાના લગ્નની તસવીરોની સરખામણી કરવા માટે આલિયા અને રણબીરના લગ્નની તસવીરોના છ કોલાજ શેર કર્યા છે. તેઓએ પોસ્ટને કેપ્શન આપ્યું કે, “રણબીર-આલિયા અને વરુણ-નતાશાના લગ્નની તસવીરો ખૂબ સમાન લાગે છે. તેઑ બધા ખુશ દેખાય છે, માત્ર એક નિરીક્ષણ છે. તમે લોકો શું માનો છો ??”
આ બંને યુગલોએ તેમના લગ્ન માટે આઇવરી કલરના પોશાક પહેર્યા હતા અને લગ્નની સજાવટને પેસ્ટલ શેડ્સમાં રાખી હતી. આ ઉપરાંત, આલિયા ભટ્ટ અને નતાશા દલાલે પરંપરાગત વેડિંગ હેરસ્ટાઇલ બન્સની બદલે ઓપ હેરસ્ટાઇલ પસંદ કરી હતી. તે બંનેએ તેમના લગ્નના દિવસે હળવા મેકઅપની એટેલે ન્યુડ કલર મેકઅપની પસંદગી કરી હતી.
આ બંને સ્ટાર કપલના લગ્નની તસવીરો પણ સમાન જોવા મળી છે. બંનેએ એકબીજાની સાથે ફેરા ફર્યા હતા, ત્યારે તેમણે એકબીજાના હાથ પકડીને સ્માઇલ આપીને પોઝ આપ્યો હતો. આ બંને પોસ્ટસ પણ ખૂબ સમાન જોવા મળી હતી.
View this post on Instagram
અન્ય Reddit યુઝર્સ પણ સંમત થયા છે કે, તેમની લગ્નની તસવીરો વચ્ચે સમાનતા છે. એકે લખ્યું છે કે, ‘ખૂબ જ અલગ’, જ્યારે બીજાએ ટિપ્પણી કરી કે, ‘ઓહ માય ગોડ, અસાધારણ સમાનતાઓ….’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘તે બંનેની લગ્નની તસવીરો ખૂબ જ સરસ છે અને તેઓ પોતપોતાના જીવનમાં ખુશ છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે, “નતાશાના અને આલિયાના વાળ ખૂબ સુંદર છે.’
આલિયા ભટ્ટ અને વરુણ ધવને 2012માં એક જ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ હતો. એક ચાહકે નોંધ્યું કે, કરણ જોહરના બંને વિદ્યાર્થીઓ હવે પરિણીત છે. જ્યારે અમુક યુઝર્સે કહ્યું કે, તેઓ હવે સિદ્ધાર્થ મલ્હોત્રા અને તેની કથિત ગર્લફ્રેન્ડ કિયારા અડવાણીના લગ્નની રાહ જોઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તાજેતરમાં બ્રેકઅપ કરી લીધું છે. તેમના ચાહકો આ સમાચારથી ખૂબ દુખી થયા છે. તેમના ચાહકો હજુ પણ, સિદ્ધાર્થ અને કિયારા ફરીથી પેચઅપ કરી લે અને બહુ જલ્દી તેમના લગ્નના સમાચાર આપે છે.