શું ઈન્ડિયન આઈડલ શૉમાં નેહા અને આદિત્ય લગ્ન માત્ર TRPનું નાટક? જાણો ઉદિત નારાયણનો જવાબ
જો તમે ઈન્ડિયન આઈડલ 11 શોને નિહાળ્યો હશે તો તે શૉમાં કેટલાંક દિવસથી એક ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા નેહા કક્કર અને આદિત્ય નારાયણના લગ્નને લઈને ચાલી રહી છે. સતત આ ઘટનાને ઈન્ડિયન આઈડલ શૉમાં બતાવવામાં આવે છે અને આ ઘટનાને લઈને એક મોટો ખૂલાસો પણ થયો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]
જો તમે ઈન્ડિયન આઈડલ 11 શોને નિહાળ્યો હશે તો તે શૉમાં કેટલાંક દિવસથી એક ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા નેહા કક્કર અને આદિત્ય નારાયણના લગ્નને લઈને ચાલી રહી છે. સતત આ ઘટનાને ઈન્ડિયન આઈડલ શૉમાં બતાવવામાં આવે છે અને આ ઘટનાને લઈને એક મોટો ખૂલાસો પણ થયો છે.
આ પણ વાંચો : LRD આંદોલનના 63 દિવસ પૂર્ણ, ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ CM રૂપાણીના મત અંગે કર્યો આ દાવો
બોલીવુડ હંગામા નામની એક વેબસાઈટે આદિત્ય નારાયણના પિતા ઉદિત નારાયણની સાથે ઈન્ટરવ્યું કર્યું હતું. જેમાં ઉદિત નારાયણે નેહા કક્કર અને આદિત્યના લગ્ન અંગે સ્પષ્ટતા કરી દીધી છે. બોલીવુડ હંગામા નામની વેબસાઈટની સાથે વાત કરતાં ઉદિત નારાયણે જાણકારી આપી કે મને આશંકા છે કે આદિત્યના નેહાની એ અફવાહ ફક્ત ઈન્ડિયન આઈડલ 11ની ટીઆરપી વધારવા માટેનું કાવતરું છે. કારણ કે આ શૉમાં મારો દીકરો એંકર છે અને નેહા એક જજની ભૂમિકામાં છે. હું ઈચ્છું છું કે આ અફવા સાચી હોત કારણ કે નેહા ખરેખર સારી છોકરી અને તેને વહુ બનાવવામાં અમને જરાય વાંધો નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ ઉપરાંત ઉદિત નારાયણે સ્પષ્ટતા કરી દીધી કે તેઓ ઈચ્છી રહ્યાં છે કે જ્યારે તેમના દીકરાના લગ્ન થાય ત્યારે બધાને તે બાબતની જાણકારી હોય. જો કે આ લગ્ન બાબતે આદિત્યે તેમની સાથે કોઈ જ વાત નથી કરી તે પણ ઉદિતે સ્પષ્ટ કરી દીધું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]