Dilip Kumar Funeral: દિલિપ કુમારને વિદાય આપવા પહોંચી રાજકીય હસ્તીઓ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે પણ કર્યા છેલ્લા સલામ
દિલીપ કુમારના દેહાંતના સમાચાર આવતાની સાથે સોશિયલ મીડિયા પર જાણે શોકનો માહોલ છવાઈ ગયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
Dilip Kumar બોલીવુડના ટ્રેજેડી કિંગ, આજે આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. દિલીપ કુમારે 98 વર્ષની વયે સવારે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિલીપ કુમારના પાર્થિવ દેહને તેમના ઘરે લાવવામાં આવ્યો . જ્યાં દિલીપ કુમારની છેલ્લી ઝલક માટે બૉલીવુડ સહિત રાજકીય હસ્તીઓ તેમના છેલ્લા દર્શન માટે આવ્યા હતા.
બોલિવુડની સાથે સાથે રાજકીય જગતમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) અને NCP પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) પણ તેમના ઘરે જઈને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. રાજ્યપાલ ભગત સિંહ કોશયારીએ પણ તેમને યાદ કરતા લખ્યું હતું કે તેમને તેમના જીવનમાં પ્રથમ અને છેલ્લી કોઈ ફિલ્મ જોઈ હોય તો તે “મુગલે આઝમ” હતી.
ઉદ્ધવ ઠાકરેની સાથે તેમના પુત્ર આદિત્ય ઠાકરે (Aditya Thackeray) પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કેબિનેટ મંત્રી શરદ પવારની સાથે નવાબ માલિક (Nawab Malik) પણ ગયા હતા. જ્યારે યુસુફ સા’બ હિન્દુજા હોસ્પીટલમાં દાખલ હતા, ત્યારે પણ શરદ પવારે તેમની મુલાકાત લીધી હતી. દિલિપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ જણાતી હતી, જેથી તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
98 વર્ષની જૈફ વયે દિલિપ કુમારે દુનિયાને અલવિદા કહ્યું. પોતાના જીવનકાળની સદીથી માત્ર બે જ વર્ષ પાછળ રહી ગયા. આ સાથે જ ઉદ્ધવ ઠાકરેએ બાળા સાહેબ સાથેના તેમના સંબંધોને યાદ કર્યા. તેમને કહ્યું કે દિલિપ સા’બની વિદાય ભારતીય સિનેમાને સમૃદ્ધ બનાવવાવાળા એક ધ્રુવ તારાના અસ્ત થયા સમાન છે.
દિલીપ કુમારના દેહાંતના સમાચાર આવતાની સાથે સોશિયલ મીડિયા પર જાણે શોકનો માહોલ છવાઈ ગયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બોલીવુડના નાના મોટા દરેક કલાકારો તેમની અંતિમ વિદાય પર પોતાની ભાવના શબ્દોમાં રજુ કરી હતી.
આ પણ વાંચો: Ajay Devganની ઓટીટી ડેબ્યૂ સાથે કમબેક કરશે આ અભિનેત્રી, લાંબા સમયથી ફિલ્મોથી છે દૂર
આ પણ વાંચો: વરસાદ ખેંચાશે તો પણ શહેરીજનોને નહીં પડે પાણીની સમસ્યા: રાજકોટ મેયર