Tribhanga: માતાપિતાના અલગ થવા પર Kajol નું નિવેદન, ‘હું જયારે સાડા ચાર વર્ષની હતી ત્યારે…’
બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ હાલમાં તેની ફિલ્મ 'ત્રિભંગા' ને લઈને ચર્ચામાં છે.
બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ હાલમાં તેની ફિલ્મ ‘ત્રિભંગા’ ને લઈને ચર્ચામાં છે. ‘ત્રિભંગા’ તાજેતરમાં જ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મમાં કાજોલની સાથે મિતાલી પાલકર અને તન્વી આઝમી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે. આ ફિલ્મમાં ત્રણ મહિલાઓની વાર્તા દર્શાવવામાં આવી છે, જે ફિલ્મમાં કાજોલને છૂટાછેડા લીધેલી મહિલાની પુત્રી અને બાળ શોષણનો ભોગ બનેલી ભૂમિકા ભજવી છે.
આજકાલ કાજોલ ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. આ સમય દરમિયાન તેમને તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ફિલ્મની સાથે સાથે તેના અંગત જીવન વિશે પણ વાત કરી હતી. કાજોલે તેના માતા-પિતાના જુદા થવાની પણ ચર્ચા કરી હતી. કાજોલે કહ્યું કે, મને ખુશી છે કે મારો ઉછેર આટલી સારી રીતે કરવામાં આવ્યો છે. હું મારી જાતને નસીબદાર માનું છું કે હું આવા તેજસ્વી લોકો દ્વારા ખૂબ ફોર્વડની વિચારસરણી સાથે ઉછરી છું. તેઓએ મને જીવન વિશે ઘણું શીખવ્યું છે. હું જ્યારે બાળક હતી ત્યારે પુખ્ત હોવા વિશે મને સમજાવ્યું.
કાજોલે આગળ કહ્યું, ‘જ્યારે હું સાડા ચાર વર્ષની હતી ત્યારે મારા માતા-પિતા અલગ થઈ ગયા હતા. મારા ઘણા મિત્રો છે જેમના માતા-પિતા હજી સાથે છે, પરંતુ તેઓ સારી સ્થિતિમાં નથી. તે લોકો (મિત્રો) તેમનું સારું બાળપણ નથી મેળવી શક્યા. હું મારી પિતાને અલગ પ્રેમ કરતી હતી અને હું મારી માતાને અલગ પ્રેમ કરતી હતી.
View this post on Instagram
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કાજોલ વર્ષ 2020 માં અજય દેવગન સાથેની ફિલ્મ ‘તાનાજી’માં જોવા મળી હતી. આ ફિલ્મ દેશમાં લોકડાઉન લાગુ થયાના ઘણા સમય પહેલા રજૂ કરવામાં આવી હતી, તેથી ફિલ્મે સારું પ્રદર્શન કર્યું. આ ઉપરાંત ગયા વર્ષે ‘દેવી’ નામની એક શોર્ટ ફિલ્મ પણ રિલીઝ થઈ હતી.
આ પણ વાંચો: અમિતાભ બચ્ચન ઘરે નહીં પણ ફિલ્મ સેટ પર મેક-અપ રૂમમાં સૂતા હતા, વિલન રણજીતે કહી આ વાત