TMKOC: Munmun Dutta છે ઘણા દિવસોથી સેટ પરથી ગાયબ, શું શોને કહી દીધું અલવિદા?

મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના રોગચાળાને કારણે સેટને દમણમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. હવે શૂટિંગ ફરીથી મુંબઈમાં શરૂ થયું છે અને ટીમ છેલ્લા એક મહિનાથી મુંબઈમાં શૂટિંગ કરી રહી છે.

TMKOC: Munmun Dutta છે ઘણા દિવસોથી સેટ પરથી ગાયબ, શું શોને કહી દીધું અલવિદા?
Munmun Dutta
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 5:16 PM

સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરતુ આવી રહી છે. આ શોના દરેક પાત્રએ પ્રેક્ષકોના દિલમાં એક અલગ સ્થાન બનાવ્યું છે. ભલે તે જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશી (Dilip Joshi) હોય અથવા બબીતાજીની ભૂમિકા કરનાર મુનમુન દત્તા (Munmun Dutta). મુનમુન દત્તા ઘણા સમયથી હેડલાઈન્સનો એક ભાગ છે. પરંતુ હવે તે સેટથી થોડા દિવસોથી ગાયબ છે.

મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના રોગચાળાને કારણે સેટને દમણમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. હવે શૂટિંગ ફરીથી મુંબઈમાં શરૂ થયું છે અને ટીમ છેલ્લા એક મહિનાથી મુંબઈમાં શૂટિંગ કરી રહી છે. પરંતુ મુનમુન દત્તા છેલ્લા કેટલાક દિવસોથી સેટ પરથી ગાયબ છે અને ઘણા દિવસોથી તેમની આસપાસ સ્ટોરીલાઈન લખવામાં આવી નથી.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

શું શોને કહી દીધું છે અલવિદા?

એક અહેવાલ મુજબ મુનમુન દત્તા ત્યારથી સેટ પર નથી આવ્યા જ્યારથી તે કોન્ટ્રોવર્સીનો હિસ્સો બની છે. મુનમુને તેમના એક વીડિયોમાં જાતિવાદી શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી હતી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તેમણે શોને અલવિદા આપવાનું નક્કી કર્યું છે. જ્યારે મુનમુનને શો છોડવા વિશે પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તે ઉપલબ્ધ નહોતી. હવે મુનમુને શો છોડી દીધો છે કે નહીં, તે નિર્માતાઓ અથવા અભિનેત્રી જાતે જ કહી શકે છે.

આ હતો સમગ્ર મામલો

મુનમૂન દત્તાએ થોડા મહિના પહેલા સોશિયલ મીડિયા પર એક મેકઅપની ટ્યુટોરિયલ શેર કરી હતી. જેમાં તેમણે જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. મુનમુનને જાતિવાદી શબ્દનો ઉપયોગ કરવો ભારે પડી ગયો હતો. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તે ખુબ ટ્રોલ થઈ હતી.

ટ્રોલ થયા બાદ મુનમુને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લોકોની માફી પણ માંગી હતી. તેમણે કહ્યું હતું કે તેમણે ભૂલથી આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. મને આ શબ્દનો અર્થ ખબર ન હતી. હું કોઈની લાગણીને દુભાવા માંગતી નહોતી. મુનમુન વિરુદ્ધ અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ અધિનિયમ વિરુદ્ધ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ મામલે અભિનેત્રીને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આપરાધિક કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.

આ પણ વાંચો: Revealed : શું અનુપમા અને કાવ્યા વચ્ચે ક્યારેય થશે સમાધાન ? મદાલસાએ કર્યો ખુલાસો

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">