The Kapil Sharma Show : ભારતી સિંહે કર્યો અક્ષય કુમારનું વારંવાર શોમાં આવવા પર સવાલ, કહ્યું- “મને શંકા છે …”

કપિલ શર્મા શોની ત્રીજી સીઝન ફરી એકવાર ટીવી પર શરૂ થવા જઈ રહી છે, જ્યાં શોના પહેલા એપિસોડમાં જ ભારતી સિંહે અક્ષય કુમારની સામે સલમાન ખાન વિશે કડક કમેન્ટ કરી છે. જુઓ વીડિયો.

The Kapil Sharma Show : ભારતી સિંહે કર્યો અક્ષય કુમારનું વારંવાર શોમાં આવવા પર સવાલ, કહ્યું- મને શંકા છે ...
Bharti Singh, Akshay Kumar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 10:06 PM

પ્રખ્યાત કોમેડી ટીવી શો ‘ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma Show) આ સપ્તાહથી ટીવી પર પરત ફરવા માટે પુરી રીતે તૈયાર છે. શોના પહેલા એપિસોડનું શૂટિંગ પણ થઈ ગયું છે. જ્યાં શોની શરૂઆત અક્ષય કુમાર (Akshay Kumar) , વાણી કપૂર (Vaani Kapoor) અને હુમા કુરેશી (Huma Qureshi) સાથે થવાની છે. અક્ષય કુમાર છેલ્લા ઘણા અઠવાડિયાથી પોતાની ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળી રહ્યા છે. જ્યાં આજે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝને શોનો નવો પ્રોમો બહાર પાડ્યો છે. જેમાં તમામ સ્ટાર્સ કપિલ શર્મા સાથે વાત કરતા જોવા મળે છે.

આ ખાસ પ્રોમોમાં કપિલના શો સાથે જોડાયેલા તમામ સભ્યો જોવા મળી રહ્યા છે. જ્યાં ભારતી અક્ષય કુમાર સાથે વાત કરતી જોવા મળે છે, તે કહે છે, “મને એક સમસ્યા છે, આ સલમાન ખાનના પ્રોડક્શનનો શો છે કે અક્ષય કુમારનો તે મને સમજાતું નથી? કારણ કે સલમાન ખાન કરતા વધારે તો અક્ષય કુમાર આ શોમાં જોવા મળે છે, કારણ કે આટલી વખત તો માત્ર માલિક જ જોવા માટે આવે કે શોનું કામ સારું ચાલી રહ્યું છે કે નહીં. તમને જણાવી દઈએ કે, આ શોનું નિર્માણ પહેલા કપિલ પોતે કરતા હતા, તેમની કંપનીનું નામ “k-9” પ્રોડક્શન હતું. પરંતુ 2018 માં, આ શોનું નિર્માણ સલમાન ખાનના હાથમાં ગયું, ત્યારથી માત્ર સલમાન ખાન જ આ શોનું નિર્માણ કરી રહ્યા છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

શોના આગામી એપિસોડમાં, અક્ષય કુમાર અને કપિલ શર્મા એક બીજાની મજાક મસ્તી કરતા જોવા મળશે, જ્યાં અક્ષય કહે છે કે “કપિલ તમે તમારો શો છેલ્લા ઘણા વર્ષોથી ચલાવો છો.” તેના પર કપિલ કહે છે કે અક્ષય પાજી, તમે બધું કરવા માંગો છો. બેલ બોટમથી તમે લોકોને બચાવવા માંગો છો, તમે મિશન મંગલથી મંગળ પર જવા માંગો છો, વડાપ્રધાનનું ઇન્ટરવ્યૂ પણ તમે લો છો. આના જવાબમાં અક્ષય કહે છે કે “હા, હું વધુ ને વધુ કામ કરવા માંગુ છું કારણ કે હું તમારા શોમાં વધુ વખત આવી શકું.” ખરેખર, કપિલ શર્મા અને અક્ષય કુમાર વચ્ચેની આ કેમિસ્ટ્રી જોઈને પ્રેક્ષકોને ખુબ મજા આવવાની છે. 21 ઓગસ્ટ, આ શો ફરી એકવાર ટીવી પર શરૂ થવા જઈ રહ્યો છે. જેના કારણે આ શોના ચાહકો ખૂબ ખુશ છે.

સુમોના ચક્રવર્તી પણ શોનો એક ભાગ છે

તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા દિવસોથી સમાચારો હતા કે સુમોના ચક્રવર્તીને આ શોમાંથી બહાર કરવામાં આવી છે. પરંતુ શોમાં જજની ભૂમિકા ભજવનાર અભિનેત્રી અર્ચના પુરણ સિંહે તાજેતરમાં જ તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે “જે લોકો સમજે છે કે સુમોના ચક્રવર્તી આ શોનો ભાગ નથી, તેમને મોટો આંચકો લાગવાનો છે.” અર્ચનાએ તેના શબ્દોમાં કહ્યું છે કે સુમોના હજુ પણ આ શોનો એક ભાગ છે. જ્યાં તે ખૂબ જ જલ્દી આ શોનું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે. પરંતુ આ વખતે આ શોમાં તેની સ્ટાઇલ ખૂબ બદલાયેલી જોવા મળશે.

આ પણ વાંચો :- Urvashi Rautelaને ‘વર્જિન ભાનુપ્રિયા’ માટે મળ્યો બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ, પોસ્ટ શેર કરીને ચાહકોનો માન્યો આભાર

આ પણ વાંચો :- ‘હોલીડે’થી લઈને ‘બેલ બોટમ’ સુધી દેશભક્તિના રંગમાં રંગેલી જોવા મળી Akshay Kumarની આ ખાસ ફિલ્મો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">