The Family Man 2 Release Time: બસ થોડા કલાક રાહ જુઓ, આ ખાસ સમયે આવશે ‘ધ ફેમિલી મેન’ની બીજી સીઝન

ધ ફેમિલી મેન એક જાસૂસી સિરીઝ છે જેમાં મનોજ બાજપેયી (Manoj Bajpai) કાલ્પનિક ગુપ્તચર એજન્સી T.A.S.C ના વરિષ્ઠ વિશ્લેષક શ્રીકાંત તિવારીની ભૂમિકા નિભાવે છે.

The Family Man 2 Release Time: બસ થોડા કલાક રાહ જુઓ, આ ખાસ સમયે આવશે 'ધ ફેમિલી મેન'ની બીજી સીઝન
The Family Man 2
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 03, 2021 | 3:05 PM

The Family Man 2 Release Time: મનોજ બાજપેયી સ્ટારર ‘ધ ફેમિલી મેન 2’ (The Family Man Season 2) નો આ વર્ષની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ચાહકોનો ઈન્તજાર થોડોક વધારે લાંબો થઈ ગયો હતો જ્યારે સીરીઝની રજૂઆત ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી આગળ કરી દિધી હતી.

પરંતુ હવે અમેઝોન પ્રાઇમ વીડિયો (Amazon Prime Video) પર રિલીઝ થવા માટે ફેમિલી મેનની બીજી સીઝનમાં 12 કલાકથી ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી રહ્યા છીએ કે 4 જૂને ફેમિલી મેન 2 કયા સમયે આવશે.

ધ ફેમિલી મેન એક જાસૂસી સિરીઝ છે જેમાં મનોજ બાજપેયી (Manoj Bajpai) કાલ્પનિક ગુપ્તચર એજન્સી T.A.S.C ના વરિષ્ઠ વિશ્લેષક શ્રીકાંત તિવારીની ભૂમિકા નિભાવે છે. પણ જે વાત આ પાત્ર અને સિરીઝને બીજી જાસૂસી સિરીઝથી અલગ કરે છે તે છે શ્રીકાંતની અંગત જીંદગી. એક હાથમાં શાકભાજીની થેલી અને બીજા હાથમાં રિવોલ્વર. શ્રીકાંત પરિવાર અને નોકરી વચ્ચે મેળ કરવા માટે સંઘર્ષ કરે છે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

કેટલા વાગે આવશે બીજી સીઝન?

સામાન્ય રીતે અમેઝોન પ્રાઇમ વીડિયોના શો અને મૂવીઝ મધ્યરાત્રિએ પ્લેટફોર્મ પર આવે છે. મળતી માહિતી મુજબ, ધ ફેમિલી મેનની બીજી સીઝન પણ 4 જૂને મધ્યરાત્રિએ 12 વાગે (એટલે ​​કે 3 જૂને રાત્રે 12 વાગે) સ્ટ્રીમ કરવામાં આવશે. બીજી સિઝનને લઈને ચાહકોને ઘણી ઉત્સુકતા છે.

પ્રથમ સીઝન 20 સપ્ટેમ્બર 2019 ના રોજ રજૂ કરવામાં આવી હતી અને તે એક મોટી સફળતા હતી. મિર્ઝાપુર પછી અમેઝોન પ્રાઈમના સૌથી ચર્ચિત શોમાં સામેલ છે. ધ ફેમિલી મેનની રચનાં રાજ નિદીમોરુ અને કૃષ્ણા ડીકેની જોડીએ કરી છે, જેઓ રાજ અને ડીકેનાં નામથી ઓળખાય છે. દિગ્દર્શનમાં સુપર્ણ એસ વર્માનો પણ ભાગ છે. પ્રથમ સીઝનમાં 10 એપિસોડ હતા. સિરીઝમાં, શારિબ હાશ્મી જેકે નામનું પાત્ર ભજવે છે, જે શ્રીકાંત તિવારીનો જોડીદાર છે.

ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની હતી સીઝન 2

ધ ફેમિલી મેન 12 ફેબ્રુઆરીના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ બીજી મોટી પ્રાઇમ સિરીઝ, તાંડવ (Tandav) ઉપર ભારે હંગામો થયા બાદ ધ ફેમિલી મેન 2 ની સ્ટ્રીમિંગ મુલતવી રાખવામાં આવી હતી. મેકર્સ ઇચ્છતા હતા કે સંપૂર્ણ તપાસ બાદ પ્લેટફોર્મ પર બીજી સિઝન શરૂ થવી જોઈએ, જેથી બિનજરૂરી સમસ્યાઓથી બચી શકાય. આથી, આ સિરીઝને રિલીઝ કરવામાં સમય લાગ્યો છે.

સામંથા પાત્રને લઈને વિવાદ

બધી સાવચેતી હોવા છતાં, ધ ફેમિલી મેન 2 વિવાદમાં આવી ગઈ અને આ વખતે વિવાદ એવી જગ્યાએથી ઉઠ્યો જેની કલ્પના પણ નહીં કરી હોય. જો કરી હોત તો, વિવાદ શા માટે થાત. બીજી સીઝનનું ટ્રેલર બહાર આવ્યા બાદ સામંથા અક્કીનેની (Samantha Akkineni) ના પાત્ર પર સોંશ્યલ મીડિયા પર તમિલ સમુદાયે વાંધો ઉઠાવ્યો હતો.

તેમનો દાવો છે કે શ્રેણીમાં સમુદાયને યોગ્ય રીતે દેખાડવામાં આવ્યો નથી. આ અંગે રાજકારણ પણ સક્રિય થઈ ગયું છે અને માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરને એક પત્ર લખીને શ્રેણી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. બુધવારે પણ Shame On You Samantha હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યો હતો.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">