ટપ્પુ અને બબિતાજીના સંબંધોની શું શો પર પડશે કોઈ અસર? ટ્રોલ થયા બાદ શું હશે શો મેકર્સનો નિર્ણય?

બંનેના સંબંધો અને સોશિયલ મીડિયા પર થઈ રહેલા ટ્રોલ્સ સામે શોના મેકર્સ શું નિર્ણય લે છે. કારણ કે એ વાત તો નક્કી જ છે કે બંનેના સંબંધોના કારણે શોની ઈમેજ પર અસર તો થશે.

ટપ્પુ અને બબિતાજીના સંબંધોની શું શો પર પડશે કોઈ અસર? ટ્રોલ થયા બાદ શું હશે શો મેકર્સનો નિર્ણય?
Munmun Datta and Raj Anadkat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 9:49 PM

લોકપ્રિય સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) વર્ષોથી લોકોને મનોરંજન પુરુ પાડી રહ્યું છે. આ સિરીયલની વાર્તા દરેક પ્રકારના ઓડિયન્સને ટાર્ગેટ કરે છે એજ કારણ છે કે આખો પરિવાર સાથે બેસીને રોજ સાડા આઠ વાગ્યે જમતા જમતા આ શો જુએ છે. સિરીયલ હસી મજાકની સાથે સાથે સોશિયલ મેસેજ પર પણ ફોકસ કરે છે. આ સિરીયલને પહેલાથી જ ફેમિલી શો તરીકે પ્રમોટ કરવામાં આવી છે. અસિત મોદી (Asit Modi) હંમેશા પ્રયત્નો કરે છે કે શોમાં તે સાફ અને ફેમિલી યોગ્ય કન્ટેન્ટ આપે અને સિરીયલ કોઈ કોન્ટ્રોવર્સીમાં ન પડે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

હાલમાં જ મુનમુન દત્તા કોન્ટ્રોવર્સીમાં ફસાઇ હતી

થોડા દિવસો પહેલા મુનમુન દત્તા (Munmun Datta) એટલે કે બબિતાજી એક કોન્ટ્રોવર્સીમાં ફસાઈ હતી. તેણે પોતાના એક વીડિયોમાં આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેના બાદથી જ તે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ ગઈ હતી. આ વીડિયો સામે આવ્યા બાદ મુનમુન દત્તા સામે એફઆઈઆર પર નોંધવામાં આવી હતી.

સમગ્ર વિવાદ બાદ મુનમુન દત્તાએ માફી પણ માંગી હતી, પરંતુ તેની આ ભુલને કારણે શો પ્રભાવિત થયો હતો. આ વિવાદ બાદ શોના મેકર્સે એક નિર્ણય લેવો પડ્યો હતો અને સમગ્ર સ્ટાર કાસ્ટ પાસે એક અંડરટેકિંગ સાઈન કરાવ્યુ હતુ, જેથી ભવિષ્યમાં કોઈ આવી ભૂલ ન કરે. આ વિવાદ બાદ મુનમુન દત્તા શોમાં 2 મહિના સુધી જોવા નહોતી મળી, જેના બાદ અફવા સામે આવી હતી કે તેણે આ શો છોડી દીધો છે. પરંતુ થોડા સમય પહેલા જ તે શોમાં ફરીથી જોવા મળી.

હવે પોતાના અફેર માટે ચર્ચામાં છે મુનમુન

હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે મુનમુન દત્તા શોમાં ટપ્પુનું પાત્ર ભજવતા રાજ અનડકટને (Raj Anadkat) ડેટ કરી રહી છે અને બંને એકબીજાના પ્રેમમાં છે. આ સમાચાર સામે આવતા જ બંને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. બંનેના અફેરે લોકોને મીમ્સ બનાવવાનું નવું મટીરીયલ આપી દીધુ છે. તમને જણાવી દઈએ કે રાજ અનડકટ હાલમાં 24 વર્ષના છે, જ્યારે મુનમુન દત્તા 33 વર્ષની છે. એક રિપોર્ટ પ્રમાણે બંનેના પરિવારને પણ તેમના સંબંધો વિશેની જાણકારી છે. બંને એકબીજાની સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટ્સ પણ કરતા હોય છે.

તેવામાં હવે બંનેના સંબંધો અને સોશિયલ મીડિયા પર થઈ રહેલા ટ્રોલ્સ સામે શોના મેકર્સ શું નિર્ણય લે છે. કારણ કે એ વાત તો નક્કી જ છે કે બંનેના સંબંધોના કારણે શોની ઈમેજ પર અસર તો થશે જ હવે એ કયા પ્રકારની હશે એ તો ભવિષ્યમાં જ ખબર પડશે.

આ પણ વાંચો – મહિલા બોલી પતિને વર્ક ફ્રોમ ઓફિસ કરાવો નહિતર… હર્ષે ગોયનકાએ શેર કર્યો આ મજેદાર લેટર

આ પણ વાંચો – શું તમે હજુ કરી રહ્યા છો FDમાં રોકાણ? તો હવે કરો આ સ્કીમમાં રોકાણ જેમાં મળે છે FD કરતા બમણું વળતર

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">