TMKOC: બબીતાજીએ શોને નથી કહ્યો અલવિદા, મેકર્સે કર્યું કન્ફર્મ
નીલા ફિલ્મ પ્રોડક્શન્સ હેઠળ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ બનાવવામાં આવી રહી છે. શોના નિર્માતાએ કહ્યું છે કે મુનમુન દત્તાના શો છોડી દેવાના સમાચાર ખોટા છે.
કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરે છે. શોના દરેક પાત્રએ પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. બધા પાત્રોને પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. તાજેતરમાં શોમાં બબિતાજી (Munmun Dutta)ની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તાના શોને અલવિદા કહેવાના અહેવાલો આવ્યા હતા. હવે આ સમાચારને મેકર્સ દ્વારા નકારી કાઢવામાં આવ્યા છે.
નીલા ફિલ્મ પ્રોડક્શન્સ હેઠળ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ બનાવવામાં આવી રહી છે. શોના નિર્માતાએ કહ્યું છે કે મુનમુન દત્તાના શો છોડી દેવાના સમાચાર ખોટા છે. ફિલ્મના નિર્માતા અસિત મોદીએ એક વાતચીતમાં કહ્યું છે કે મુનમુન દત્તા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા જીની ભૂમિકામાં જોવા મળશે. તેમના શો છોડવાના સમાચાર ખોટા છે.
શો છોડવાના આવ્યા હતા સમાચાર
એક અહેવાલ મુજબ મુનમુન ટ્રોલ થયા બાદ સેટ પર જોવા મળી નથી. શોમાં તેમની આસપાસ કોઈ વાર્તા પણ લખવામાં આવી નથી. જેના કારણે તેમના શોને અલવિદા કહેવાના સમાચાર સામે આવી રહ્યા હતા.
મુનમુન થઈ હતી ટ્રોલ
તાજેતરમાં મુનમુન દત્તાએ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં જાતીસૂચક શબ્દનો ઉપયોગ થયો હતો. જેના કારણે તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા. મુનમુને સોશિયલ મીડિયા પર એક મેકઅપની ટ્યુટોરિયલ વીડિયો શેર કર્યો હતો જેમાં જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરવા બદલ તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા.
ટ્રોલ થયા બાદ મુનમુને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને માફી માંગી હતી. તેમણે પોસ્ટમાં કહ્યું કે તેમને આ શબ્દના અર્થની ખબર ન હતી. તે કોઈની લાગણી દુભાવા માંગતી નહોતી. મુનમુનના આ વીડિયો બાદ તેમની વિરુદ્ધ અનુસુચિત જાતિ/અનુસૂચિત જનજાતિ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ હવે મુનમુનને આ મામલે રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે મુનમૂન વિરુદ્ધ કોઈપણ આપરાધિક કાર્યવાહી કરવા પર રોક લગાવી દીધી છે.
આ પણ વાંચો : New Film: આ સુપરસ્ટાર સાથેની પહેલી ફિલ્મ માટે હૈદરાબાદ પહોંચ્યા Amitabh Bachchan, ચાહકોને આપ્યા સારા સમાચાર
આ પણ વાંચો : Jai Bhim: Suriyaએ જન્મદિવસ પર ચાહકોને આપી ખાસ ગિફ્ટ, ફિલ્મનું પોસ્ટર કર્યુ શેર