Taarak Mehta Ka Ooltah Chashmah : શૈલેષ લોઢા, નેહા મહેતાથી લઈને ટપ્પુ ભવ્ય ગાંધી સુધી, આ કલાકારોએ તારક મહેતાને TATA BYE BYE કહ્યું, જાણો શું હતું તેની પાછળનું કારણ
Actors Who Quit Taarak Mehta વર્ષો પછી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીઆરપી ટોચ પર જ છે. હાલમાં આ શો ટીઆરપી (television rating point) ચાર્ટના લિસ્ટમાં ટોપ ફાઈવમાં સ્થાન બનાવ્યું છે
this popular actors who left Taarak Mehta Ka Ooltah Chashmah
Follow Us:
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી એ પોપ્યુલર શોમાંથી છે જે વર્ષોથી ચાલું છે, જુલાઈ 2008માં ચાલુ થયેલા આ શોએ સફળતાના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે, એવું કેટલીક વખત થયું છે કે, સીરિયલના અમુક સ્ટારે શોને વચ્ચે જ છોડી દીધો છે. તો ચાલો જાણીએ કે આ સ્ટારના નામ શું છે જેમણે લાંબા સમય સુધી સીરિયનો સાથ આપ્યો અને પછી સિરીયલનો સાથ છોડ્યો.
ભવ્યગાંધી ઉર્ફ ટપુ ભવ્યગાંધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૌને સૌથી પહેલા છોડનાર કલાકાર હતો. કારણ કે તે એક ગુજરાતી ફિલ્મમાં કામ કરવા માંગતો હતો જેને લઈ તેણે આ શોને અલવિદા કહ્યું હતુ
દિશા વાકાણી ઉર્ફ દયા ભાભી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અભિનેત્રી દિશા વાકાણીને એક નવી ઓળખ આપી હતી. આજે લોકો તેને દયા ભાભીના નામે જ ઓળખે છે, તેનો અવાજ આજે પણ મશહુર છે. ગત્ત વર્ષ 2017માં તેણે પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો બાળકને સમય આપવા માટે શોમાંથી બ્રેક લીધો હતો પરંતુ બ્રેક લીધા બાદ તે પરત જ ફરી નહિ, મેકર્સે દયા ભાભીની આવવાની ખુબ રાહ જોઈ અંતે હવે દયા બેન માટે ઓડિશન લઈ રહ્યા છે. દયા બેને શોને અલવિદા કહેતા મોટો ફટકો લાગ્યો હતો
શૈલેશ લૌઢા ઉર્ફ તારક મહેતા લોઢા તારક મહેતાએ હાલમાં આ શૌને બાય બાય કહ્યું છે, કહેવામાં આવી રહ્યું છે કે, શૈલેષ તેના કોન્ટ્રેક્ટથી ખુશ નથી, મેકર્સને તેના નવા શોની તારીખને લઈ પરેશાન હતા. શૈલેષ લોઢાનું કહેવું છે કે, તે લાંબા સમયથી શૌ સાથે જોડાયેલા હતા પરંતુ તેમણે હવે નવા કામ અને નવી તકો મળી રહે છે. તે વાહ ભાઈ વાહમાં જોવા મળશે.
નેહા મહેતા ઉર્ફ અંજલી ભાભી આ શૌનો લોકપ્રિય ચહેરો રહી છે, સીરિયલમાં નેહા મહેતા ઉર્ફ અંજલીએ તારક મહેતાની પત્નીનો રોલ નિભાવ્યો હતો, નેહાએ શૌને 2020માં અલવિદા કહ્યું હતુ, 12 વર્ષ પછી અચાનક નેહાએ શો છોડતા ચાહકો પરેશાન થયા છે. તમને જણાવી દઈએ કે, નેહા મહેતા હાલમાં તેની ગુજરાતી ફિલ્મનું શૂંટિગ પુરી કરી છે
નિધિ ભાનુશાલી ઉર્ફ સોનૂ નિધિ ભાનુશાલીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનૂનો રોલ નિભાવ્યો છે પરંતુ હવે નિધિ અભ્યાસમાં ધ્યાન આપવા માગે છે માટે શોને છોડ્યો છે આ પહેલા સોનુનો રોલ ઝીલ મહેતા નિભાવી રહી હતી કોઈ કારણોસર તેણે આ શો છોડી દીધો નિઘિ 6 વર્ષ સુધી શો સાથે કામ કર્યું છે, હાલમાં નિધિ પોતાની યુટ્યુબ ચેનલમાં વ્યસ્ત છે જ્યાં તે travel blog અપલોડ કરે છે
ગુરુચરણ સિંહ ઉર્ફ સોઢી 2020માં શો છોડ્યો તેણે અભિનેતા બલવિંદર સિંહને રિપ્લેસ કર્યો છે, ગુરુચરણ સિંહે શો છોડવાનું કોઈ ખાસ કારણ જણાવ્યું નથી
મોનિકા ભદોરિયા ઉર્ફ બાવરીનું પાત્ર નિભાવનારી અભિનેત્રી મોનિકા ભદેરિયાએ શોના મેકર્સને પોતાની ફી વધારવાની માગ કરી હતી, મેકર્સે ફી વધારવાની મનાઈ કરી હતી,જેને લઈ મોનિકાએ શો છોડવાનો નિર્ણય લીધો હતો.