Urvashi Dholakia Accident: ઉર્વશી ધોળકિયાની કાર બસ સાથે ટકરાઈ, અભિનેત્રીનો થયો આબાદ બચાવ

Urvashi Dholakia Accident: નાના પડદાની જાણીતી અભિનેત્રી અને બિગ બોસની વિજેતા ઉર્વશી ધોળકિયા સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બસે અભિનેત્રીની કારને ટક્કર મારી હતી.

Urvashi Dholakia Accident: ઉર્વશી ધોળકિયાની કાર બસ સાથે ટકરાઈ, અભિનેત્રીનો થયો આબાદ બચાવ
ઉર્વશી ધોળકિયાની કાર બસ સાથે ટકરાઈImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2023 | 5:12 PM

નાના પડદાની જાણીતી અભિનેત્રી અને બિગ બોસની વિજેતા ઉર્વશી ધોળકિયા સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ‘કસૌટી ઝિંદગી કે’ની કોમોલિકા એટલે કે ઉર્વશીની કારને બસે ટક્કર મારી હતી. આ અકસ્માત શનિવારે થયો હતો. આ અકસ્માતમાં અભિનેત્રીનો જીવ બચી ગયો છે. તે સંપૂર્ણપણે સ્વસ્થ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉર્વશી ધોળકિયા તેની કારમાં સ્ટુડિયો તરફ જઈ રહી હતી. પરંતુ રસ્તામાં એક સ્કૂલ બસે એક્ટ્રેસની કારને પાછળથી ટક્કર મારી હતી. અહેવાલ અનુસાર ઉર્વશીએ આ મામલે કોઈ કેસ નોંધાવ્યો નથી. તેમણે કહ્યું આ માત્ર એક અકસ્માત હતો. તેના ચાહકોને ચિંતા કરવાની જરૂર નથી, ડૉક્ટરે તેને થોડા દિવસો માટે બેડ રેસ્ટ કરવાનું કહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
View this post on Instagram

A post shared by URVASHI (@urvashidholakia)

ઉર્વશીની કારને બસે ટક્કર મારી

તાજેતરની માહિતી અનુસાર, ઉર્વશી ધોળકિયા જે કારમાં હતી, તેનો સ્ટાફ પણ તેની સાથે હતો. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. તમને જણાવી દઈએ કે, ઉર્વશીએ તેના જીવનનો લાંબો સમય એકલા વિતાવ્યો છે. અભિનેત્રીએ કસૌટી ઝિંદગી કે થી કોમોલિકા તરીકે નામ મેળવ્યું છે. તેમને તેમના મજબૂત પાત્ર માટે આજે પણ યાદ કરવામાં આવે છે.

અભિનેત્રી તેના બે પુત્રો સાથે સુખી જીવન જીવી રહી છે

ઉર્વશીના અંગત જીવનની વાત કરીએ તો અભિનેત્રીએ 16 વર્ષની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા અને માત્ર 17 વર્ષની ઉંમરે તે બે જોડિયા બાળકોની માતા બની હતી. અભિનેત્રીએ બે પુત્રોને જન્મ આપ્યો. લગ્નના બે વર્ષ બાદ જ ઉર્વશીના છૂટાછેડા થઈ ગયા હતા. જે પછી તેણે ન તો લગ્ન કર્યા કે ન તો કોઈને પ્રેમ કર્યો. અભિનેત્રી તેના બે પુત્રો સાથે સુખી જીવન જીવી રહી છે. હાલમાં જ તે સિરિયલ નાગિન 6માં જોવા મળી હતી.

અભિનેત્રી તેની ફિટનેસ માટે પણ ઘણી ફેમસ છે. તમને જણાવી દઈએ કે ઉર્વશી ધોળકિયા એક ફેમસ ટીવી એક્ટ્રેસ છે. ઉર્વશીએ ફેમસ શો ‘કસૌટી ઝિંદગી કે’માં ‘કોમોલિકા’ બનીને ફેમસ થઈ હતી. અભિનેત્રી બિગ બોસની સિઝન 6ની વિજેતા પણ રહી ચુકી છે. આ સિવાય ઉર્વશીએ ઘણા ટીવી શો કર્યા છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">