Taarak Mehta Ka Ooltah Chashmah: ફેન્સ માટે મોટા સમાચાર, સિરિયલે રચ્યો નવો ઇતિહાસ

Taarak Mehta Ka Ooltah Chashmah ના ફેન્સ તેમજ ટીમ માટે ખુબ મોટા સમાચાર આવ્યા છે. આ શોએ ફરી એક વાર નવો ઈતિહાસ રચી દીધો છે.

Taarak Mehta Ka Ooltah Chashmah: ફેન્સ માટે મોટા સમાચાર, સિરિયલે રચ્યો નવો ઇતિહાસ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 9:07 AM

ટેલિવિઝન જગતનો સૌથી લોક્પ્રોય શો એટલે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં'(Taarak Mehta Ka Ooltah Chashmah). આ શોના ચાહકો માટે એક મોટી ખુશખબર છે. જી હા આ શોએ એક નવો ઈતિહાસ બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે 1 જુલાઈ 2021ના રોજ આ શોએ 3200 હેપ્પીસોડ્સ (3200 Happysodes) પુરા કરીને નવો વિક્રમ સર્જ્યો છે. 13 વર્ષથી આ શો લોકોનું ભરપુર મનોરંજન કરે છે. આ શો હવે દર્શકોના પરિવારનો જ ભાગ બની ગયો છે.

તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં શરૂઆતથી લઈને અત્યાર સુધી ઘણા બદલાવ આવ્યા છે. ઘણા એક્ટર્સ પણ આ શોમાં બદલાયા છે. વાત કરીએ 13 વર્ષ પહેલાની તો 28 જુલાઈ 2008 નો એ દિવસ હતો જ્યારે આ સિરિયલ પહેલીવાર ટીવી પર આવી. એ સમયે નાના બાળકોથી લઈને મોટા વડીલ સુધી દરેક આ શોના ચાહક બની ગયા હતા. એક વર્ગ તો એવો છે જેમણે આ શો જોતા જોતા બાળપણથી જવાનીમાં પ્રવેશ મેળવ્યો. તેમ છતાં આ શો જોવાનો નથી છોડ્યો.

ગોકુલધામના લોકોને હવે દર્શકો પોતાના જ પરિવારનો એક ભાગ માને છે. જી હા એ પછી જેઠાલાલ હોય કે નટુકાકા, આત્મારામ ભિડે કે તારક મહેતા, કે પછી માધવી ભાભી, બબીતા જી કે પછી ટપુ સેના હોય. દરેકને દર્શકોએ સરખો પ્રેમ આપ્યો છે. માધ્યમ વર્ગની સમસ્યાઓ અને તેની વાર્તાઓ પર બનતો શો માધ્યમ વર્ગના ઘરોમાં ખાસ જોવાતો હોય છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

શોના અંદરના પાત્રોની વાત કરીએ તો આ શોમાં ગોકુલધામ સોસાયટીમાં સૌ હળીમળીને રહે છે. આ શોની ગોકુલધામ સોસાયટીને મીની ઇન્ડિયા કહેવામાં આવે છે. આ શો વિશે વાત કરતા અસિત કુમાર મોદીએ કહ્યું કે ગયા વર્ષથી આવેલા કોરોનાના કારણે શોની શૂટિંગમાં ઘણી તકલીફો પડી. અમારી ટીમે ઘણા ઉતાર ચડાવ જોયા છે. પરંતુ કલાકાર અને અન્ય મેમ્બરની નિષ્ઠાથી અમે આ પડાવે પહોંચ્યા છીએ. તારક મહેતા શોની ટીમ વતી આટલો પ્રેમ અને સહયોગ આપવા બદલ હું સૌને થેંક્યું કહું છું.

અસિત મોદીએ કહ્યું કે ફેન્સનો પ્રેમ જ અમને આગળ શો બનાવવા પ્રેરણા આપે છે. જે અમારા દર્શકોના જીવનમાં હાસ્ય, ખુશી અને સકારાત્મકતા લાવે. તારક મહેતાના 3200 એપિસોડ થવા પર એક બહુ મોટા ફેને શોને ખાસ ભેટ આપી છે. આ ફેન એક શિલ્પકાર છે.

આ પ્રતિભાશાળી કારીગરે તારક મહેતાની ટીમને એક સુંદર સ્મૃતિચિત્ર ભેટ આપ્યું છે. આ કલાકારે બોટલની અંદર કુશળ રીતે ગોકુલધામ પરિવારની ફોટો ફ્રેમ બનાવીને અસિત કુમાર મોદીને ભેટ આપી છે. એટલું જ નહીં, તેમણે ભગવાન શ્રી ગણેશ અને હનુમાનજીની મૂર્તિઓને ટીમને ભેટ આપી છે.

આ પણ વાંચો: Dilip Kumar Death: દિલીપ કુમારના સંઘર્ષની આ વાતો સદીઓ સુધી વિશ્વ યાદ રાખશે

આ પણ વાંચો: Dilip Kumar Death: દિલીપકુમારનુ અંગત જીવન પણ હતુ ચર્ચામાં, મધુબાલાને બદલે વીસ વર્ષ નાની સાયરાબાનુ સાથે કર્યા હતા લગ્ન

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">