Revealed : શું અનુપમા અને કાવ્યા વચ્ચે ક્યારેય થશે સમાધાન ? મદાલસાએ કર્યો ખુલાસો
અનુપમા શોમાં હમણાં કાવ્યા અને અનુપમા વચ્ચે અણબનાવ ચાલી રહ્યા છે. વનરાજે અનુપમાને છોડીને કાવ્યા સાથે લગ્ન કર્યા. વનરાજ સાથે લગ્ન કર્યા પછી પણ કાવ્યા અનુપમા સાથે ટક્કર લેતી રહે છે.
ટીવીનો લોકપ્રિય શો અનુપમા (Anupamaa) આ દિવસોમાં ટીવી પર વર્ચસ્વ ધરાવે છે. શોની ટીઆરપી પણ આશ્ચર્યજનક છે અને તેના મુખ્ય પાત્રો અનુપમા (Anupama) , વનરાજ (Vanraj) અને કાવ્યા (Kavya) ને પણ પ્રેક્ષકો ઘણા પસંદ કરે છે. કાવ્યા ભલે શોમાં નેગેટિવ પાત્રમાં છે, પરંતુ હજી પણ દરેક જણ તેને ખૂબ પસંદ કરે છે. શોમાં અનુપમા અને કાવ્યા વચ્ચે ઘણી તકરાર છે, પરંતુ દર્શકો ઇચ્છે છે કે બંને વચ્ચે ક્યારે કંઈપણ બરાબર થશે કે નહીં. તાજેતરમાં જ જ્યારે કાવ્યાની ભૂમિકા નિભાવી રહેલી મદાલસાને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે તેમને નથી લાગતું કે બંને જલ્દી એક સાથે થશે.
એક અહેવાલ મુજબ, મદાલસાએ કહ્યું, ‘આમ તો આ વિશે હું નથી જાણતી કે ક્યારે અનુપમા અને કાવ્યા વચ્ચે બધુ ઠીક થશે. તે લેખકો પર આધારીત છે. જો કે, વર્તમાન ટ્રેક મુજબ, બંને વચ્ચે કંઈપણ બરાબર નહીં થાય.
મદાલસાને જ્યારે તેમના પાત્રના ગ્રોથને લઈને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે કાવ્યાની જર્ની ઘણી શાનદાર રહી. કાવ્યાને બધું એકલા કરવાનું છે કારણ કે તેની પાસે પરિવારનો ટેકો નથી. તે પોતાના માટે આખા પરિવાર સાથે લડી રહી છે.
મદાલસાએ કહ્યું કે કાવ્યાની અંદર ઘણી ભાવનાઓ છે અને આ તેમનો સૌથી મોટો પડકાર છે આ પાત્ર ભજાવવા માટે.
આપને જણાવી દઈએ કે આ શો પહેલા મદાલસા ઘણી હિન્દી, તમિલ, કન્નડ, તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. અભિનયની શરુઆત, મદાલસાએ વર્ષ 2009 માં ફિલ્મ ફિટિંગ માસ્ટરથી કરી હતી. તેમણે એન્જલ, સમ્રાટ એન્ડ કંપની, પૈસા હો પૈસા, દિલ સાલા સંકી અને મૌસમ પ્યાર કે અને 2 પલ ઇકારાર કેમાં કામ કરી ચુકી છે.
અનુપમા દ્વારા ટીવીમાં ડેબ્યૂ
મદાલસાએ આ શો થકી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો છે અને તેમના પહેલા શોથી અભિનેત્રીએ દરેકનું દિલ જીતી લીધું છે.
મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ
મદાલસાએ મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષય ચક્રવર્તી સાથે વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા. મદાલસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણા ફની વીડિયો શેર કરતી રહે છે.