The Kapil Sharma Show: કૃષ્ણા અભિષેકે લીધો કપિલ શર્માનો શો છોડવાનો નિર્ણય, જાણો શું છે કારણ
કપિલ શર્મા ધ કપિલ શર્મા શોની (The Kapil Sharma Show) નવી સીઝન લઈને ટૂંક જ સમયમાં આવી રહ્યો છે પરંતુ તેના આ શોમાં આ વખતે કૃષ્ણા અભિષેક જોવા મળશે નહીં.
કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) ધ કપિલ શર્મા શોની નવી સીઝન સાથે પરત ફરી રહ્યો છે. ફેન્સ કપિલ શર્માના શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) આ વખતે ફેન્સનું નવા અંદાજમાં મનોરંજન કરવા માટે તૈયાર છે. પરંતુ ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. આ શોના મેઈન કેરેક્ટર કૃષ્ણા અભિષેક નવી સિઝનમાં જોવા નહીં મળે. આ શોમાં કૃષ્ણા અભિષેક ઘણા પાત્રોમાં જોવા મળ્યો હતો. ક્યારેક તે સપના બની જતો હતો તો ક્યારેક ધર્મેન્દ્ર. કૃષ્ણા અભિષેકે શો છોડવાનો નિર્ણય લીધો છે. હવે કૃષ્ણાએ આ શો છોડવા પાછળનું કારણ સામે આવ્યું છે.
ધ કપિલ શર્મા શોમાં કૃષ્ણા અભિષેક અલગ-અલગ રોલમાં જોવા મળ્યો હતો. જેના કારણે તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે શોમાં નહીં આવે તો ફેન્સ દુખી થવાના છે. રિપોર્ટ્સનું માનીએ તો કૃષ્ણાએ કોન્ટ્રાક્ટના ઈશ્યુને કારણે આ શો છોડવાનો નિર્ણય લીધો છે.
આ કારણે છોડ્યો શો
ઈટાઈમ્સના રિપોર્ટ મુજબ મેકર્સ અને કૃષ્ણાએ આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ઘણી કોશિશ કરી. તેની સૌથી મોટી સમસ્યા ફીની હતી. મતભેદોને કારણે કૃષ્ણાએ કપિલ શર્મા શો છોડવો પડ્યો હતો.
પરત ફરવાની જાણકારી આપી ફેન્સને
કપિલે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને શોમાં પરત ફરવાની જાણકારી આપી હતી. પોસ્ટ શેર કરતા તેને લખ્યું – અમને બધાને ‘કપિલ શર્મા શો’ પસંદ કરે છે, પરંતુ જો તમે તેનો ભાગ હોવ તો તમને તે વધુ ગમશે. તમારી પ્રોફાઇલ મોકલો. ધ કપિલ શર્મા શોની નવી સીઝનમાં કયા કલાકારો જોવા મળશે તેની જાણકારી હાલમાં આપવામાં આવી નથી. કપિલ શર્માના શોને લઈને નવી જાહેરાતની રાહ જોવી પડશે.
સપ્ટેમ્બરથી શરૂ થશે શો
કપિલ શર્માના શોનું લોન્ચિંગ સપ્ટેમ્બરમાં થશે. આ શો ‘ઇન્ડિયાઝ લાફ્ટર ચેલેન્જ’ને રિપ્લેસ કરશે. કપિલ શર્માની કોમેડીની જર્ની ઘણી જૂની છે, લોકો કપિલના શો સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે. કપિલ શરૂઆતમાં કલર્સ ટીવી પર કોમેડી નાઈટ્સ વિથ કપિલ નામનો શો કરતો હતો. જે 22 જૂન 2013 થી 24 જાન્યુઆરી 2016 સુધી ચાલ્યો હતો. આ પછી શોને થોડા દિવસો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. વર્ષ 2016માં કપિલ શર્મા ફરી એકવાર સોની ટીવી પર ધ કપિલ શર્મા શો નામનો શો લઈને આવ્યો હતો. કપિલનો આ શો લગભગ 5 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. પહેલા આ શોમાં નવજોત સિંહ સિદ્ધુ હતા જે કપિલના જોક્સ પર હસતા હતા. થોડા સમય પછી જ્યારે નવજોત સિંહ સિદ્ધુએ શો છોડી દીધો તો અર્ચના પુરણ સિંહે તેમની જગ્યા લીધી.