Heard It?: વિશાલ સિંહને ફોન કરીને સિદ્ધાર્થ શુક્લાએ કહી હતી મોટી વાત, દોસ્તના મૃત્યુથી આઘાતમાં છે અભિનેતા

'ખતરો કે ખિલાડી 11'ના પરફોર્મન્સ પછી સિદ્ધાર્થ શુક્લાએ કંઈક આ રીતે વિશાલ આદિત્ય સિંહનો નંબર કાઢીને તેમને ફોન કર્યો હતો. આ વાતચીતમાં તેમણે આદિત્યના વખાણ કર્યા હતા.

Heard It?: વિશાલ સિંહને ફોન કરીને સિદ્ધાર્થ શુક્લાએ કહી હતી મોટી વાત, દોસ્તના મૃત્યુથી આઘાતમાં છે અભિનેતા
Sidharth Shukla
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 11:58 PM

પ્રખ્યાત ટીવી અભિનેતા અને બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)નું 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમના અચાનક મૃત્યુથી દરેકને આઘાત લાગ્યો હતો. તેમના ચાહકો અને પરિવાર હજુ પણ આઘાતમાં છે. તે જ સમયે બિગ બોસમાં તેમની સાથે સ્પર્ધક રહેલા વિશાલ આદિત્ય સિંહ (Vishal Aditya Singh)ને તેમની સાથેની છેલ્લી મુલાકાત યાદ આવી ગઈ.

સિદ્ધાર્થે ફોન પર વિશાલની પ્રશંસા કરી હતી

‘બિગ બોસ 13’માં સિદ્ધાર્થ અને વિશાલ વચ્ચે કોઈ ખાસ બનતુ નહોતું. તેમણે શોમાંથી બહાર થયા બાદ વાત પણ કરી ન હતી. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં વિશાલે કહ્યું હતું કે ‘ખતરો કે ખિલાડી 11’ના પરફોર્મેન્સ બાદ સિદ્ધાર્થે કંઈક રીતે તેનો નંબર કાઢીને તેમને ફોન કર્યો હતો.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

બંનેએ લગભગ અડધો કલાક વાત કરી હતી. વિશાલે કહ્યું કે સિદ્ધાર્થની માતા અને તેમની બહેને ‘ખતરોં કે ખિલાડી’માં મારો પાણીનો એક સ્ટંટ જોયો જ્યારે મને તરતા આવડતું નથી. સિદ્ધાર્થે ક્યાંકથી મારો નંબર શોધ્યો અને મને ફોન કર્યો અને કહ્યું કે તમે જે કર્યું છે તે હું ક્યારેય કરી શકતો નથી. તેમણે મારા કામની પ્રશંસા કરી. જે મારા માટે મોટી વાત હતી.

શ્વેતા તિવારી અને વિશાલ આદિત્ય સિંહે સિરીયલ બેગુસરાયમાં સાથે કામ કર્યું હતું. એન્ડ ટીવી પર આવી રહેલી આ સિરિયલ લગભગ દોઢ વર્ષ સુધી ચાલી હતી.

સિદ્ધાર્થના મૃત્યુથી વિશાલને આઘાત લાગ્યો છે

વિશાલે કહ્યું કે ફોન પર લાંબા સમય સુધી વાત કર્યા પછી, તેમણે (સિદ્ધાર્થ) મને મળવા માટે મેસેજ કર્યો અને અમે મળ્યા. બે-ત્રણ દિવસ પછી જ સિદ્ધાર્થના મૃત્યુના સમાચાર આવ્યા અને તે આઘાતજનક હતું. દુનિયામાં એવા લોકો હોવા જોઈએ કે જેઓ બીજાની કદર કરે છે અને હું હજુ પણ સિદ્ધાર્થના મૃત્યુથી આઘાતમાં છું.

બંને કલાકારો વચ્ચે હતી દુશ્મની

બિગ બોસ 13ના ઘરમાં સિદ્ધાર્થ શુક્લા અને વિશાલ આદિત્ય સિંહ વચ્ચે ઘણા ઝઘડા થયા હતા. બંને વચ્ચે ઘણી તકરાર જોવા મળી હતી. જેના કારણે બંનેએ બહાર આવ્યા પછી પણ એકબીજા સાથે વાત કરી ન હતી. ટીવી ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ સિદ્ધાર્થ શુક્લાના નિધનથી શોકનું મોજું ફરી વળ્યું છે. બિગ બોસ 13 જીત્યા પછી સિદ્ધાર્થ શુક્લાની કારકિર્દીની શરૂઆત થઈ. એવું નથી કે તે બિગ બોસ 13 પહેલા ફિલ્મોમાં જોવા મળ્યા ન હતા. તેઓ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મમાં દેખાયા હતા.

પરંતુ બિગ બોસ 13 જીત્યા બાદ તેમને ઘણી બધી ફૂટેજ મળવા લાગી હતી. અભિનેતા ઘણા પ્રોજેક્ટ્સનો ભાગ બનવા જઈ રહ્યા હતા. આ સિવાય તાજેતરમાં જ તેમણે OTT પ્લેટફોર્મ પર બ્રોકન બટ બ્યુટિફુલ નામની વેબ સિરીઝથી પણ પદાર્પણ કર્યું હતું. સિદ્ધાર્થ શુક્લાની ફેન ફોલોઈંગ ઘણી વધારે હતી.

આ પણ વાંચો :- Sidharth Shukla જ નહીં, બિગ બોસનો ભાગ બનેલા આ સેલેબ્સે પણ આ દુનિયાને અલવિદા કહી દીધી, જાણો કોણ છે આ સેલિબ્રિટી

આ પણ વાંચો :- Sidharth Shuklaને યાદ કરીને શહેનાઝ ગિલના ભાઈ શાહબાઝે શેર કરી એક ભાવુક પોસ્ટ, ચાહકોએ પૂછ્યું કેવી છે સના?

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">