Sidharth Shuklaના મૃત્યુ બાદ હિમાંશી ખુરાનાને થઈ શહનાઝ ગિલની ચિંતા, કહ્યું ‘કાશ હું તમારા માટે ત્યાં હોત’
સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ના નિધન બાદ ચાહકોને શહેનાઝ ગિલ (Shehnaaz Gill)ની ચિંતા થઈ રહી છે. પંજાબી ગાયક હિમાંશી ખુરાના (Himanshi Khurana) એ પણ શહનાઝ વિશે ટ્વીટ કર્યું છે.
અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) નું હાર્ટ એટેકથી નિધન થઈ ગયું છે. સિદ્ધાર્થના મૃત્યુના સમાચાર ચાહકો માટે આઘાતથી ઓછા નહોતા. સિદ્ધાર્થના મૃત્યુ પછી, ઘણા બોલિવૂડ અને ટીવી સેલેબ્સ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. સિદ્ધાર્થના મૃત્યુ બાદ તેમના ચાહકો શહેનાઝ ગિલ (Shehnaaz Gill) ને લઈને ચિંતિત છે. સિદ્ધાર્થ બિગ બોસ 13 નો ભાગ હતા. તેમની સાથે શોમાં હિમાંશી ખુરાના (Himanshi Khurana) અને શહનાઝ ગિલ પણ જોવા મળ્યા હતા. સિદ્ધાર્થના મૃત્યુ બાદ હિમાંશીને શહનાઝ વિશે ચિંતા થઈ રહી છે.
હિમાંશીએ સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા શહનાઝ માટે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કર્યું- વાર્તા એવી રીતે સમાપ્ત થઈ કે દરેક રડી પડ્યા તાળીયો વગાળતા #ripsidharthshukla. હું શહેનાઝ વિશે વિચારી રહી છું, તે આ બધાનો સામનો કેવી રીતે કરશે. માઈ લવ હું ઈચ્છું છું કે હું તમારા માટે ત્યાં હોત.
Kahani aise khatam hui ki sab ro diye taliya bjate #ripsidharthshukla. I’m thinking about shehnaz what she’s going thru … my love I wish main apke lie waha hoti
— Himanshi khurana (@realhimanshi) September 2, 2021
ચાહકોએ હિમાંશીને કરી આ અપીલ
હિમાંશીના આ ટ્વીટ બાદ શહનાઝ ગિલના ચાહકો તેની પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું – કૃપા કરીને તેની સાથે વાત કરો. મારા આંસુ અટકતા નથી. સિદ્ધાર્થ તેમનું સર્વસ્વ હતું. બીજી બાજુ, અન્ય એક ચાહકે લખ્યું – તેને કોઈની જરૂર છે. જો શક્ય હોય તો, કૃપા કરીને તેમની સાથે વાત કરો. હું વિનંતી કરું છું
હિમાંશી પણ શહનાઝના ચાહકોના દુ:ખને સમજી રહી છે અને તેમની કમેન્ટનો જવાબ આપી રહી છે. તેણે ચાહકોને કહ્યું કે આસીમ હોસ્પિટલમાં છે. તે જ સમયે, તેણીએ કહ્યું કે હું વચન આપું છું કે હું શહનાઝ સાથે વાત કરીશ.
હિમાંશી સાથે સિદ્ધાર્થનું હતું સારું બોન્ડિંગ
શોમાં સિદ્ધાર્થ શુક્લા અને હિમાંશી ખુરાના ક્યારેય લડ્યા નથી. બંનેનું સારું બોન્ડિંગ હતું. પણ શહનાઝ અને હિમાંશી વચ્ચે બિલકુલ બનતું ન હતું. બંનેએ શોમાં ઘણી વખત ઝઘડો કર્યો હતો. તેમની લડાઈનું કારણ ભૂતકાળની વાતો હતી.
શહનાઝ ગિલની હાલત છે ખરાબ
શહનાઝ ગિલના પિતાએ જણાવ્યું છે કે સિદ્ધાર્થના મૃત્યુ બાદ તેમની પુત્રીની હાલત સારી નથી. એક વાતચીતમાં, શહનાઝના પિતા સંતોખ સિંહ સુખે કહ્યું છે કે સિદ્ધાર્થના મૃત્યુ વિશે સાંભળીને તે આઘાતમાં છે. તેમણે શહનાઝ સાથે વાત કરી હતી, તેની હાલત સારી નથી. તેમનો પુત્ર શાહબાઝ મુંબઈ માટે રવાના થઈ ગયો છે અને તે પણ જલ્દી મુંબઈ આવશે.
આ પણ વાંચો :- Sidharth Shukla Passes away: ટીવીના નહીં પણ કોન્ટ્રોવર્સીઝના પણ કિંગ હતા સિદ્ધાર્થ શુક્લ, પારો ગરમ થતા ઉઠાવી લેતા હતા હાથ
આ પણ વાંચો :- Photos :સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ બાદ કૂપર હોસ્પિટલ પહોંચ્યા અસીમ રિયાઝ અને હિન્દુસ્તાની ભાઉ, જુઓ તસ્વીરો