Aamir Sanjeeda Divorced: આમિર અલી અને સંજીદા શેખના છૂટાછેડા, સંજીદાને મળી દીકરી આયરાની કસ્ટડી

ટીવીના લોકપ્રિય કપલમાંથી એક આમિર અલી અને સંજીદા શેખના છૂટાછેડા થઈ ગયા છે. બંને લાંબા સમયથી અલગ રહેતા હતા. પરંતુ હવે બંને સત્તાવાર રીતે અલગ થઈ ગયા છે.

Aamir Sanjeeda Divorced: આમિર અલી અને સંજીદા શેખના છૂટાછેડા, સંજીદાને મળી દીકરી આયરાની કસ્ટડી
Aamir Ali and Sanjeeda Sheikh divorced, actress got daughter's custody
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 6:00 PM

ટીવીનું પોપ્યુલર કપલ આમિર અલી (Amir Ali) અને સંજીદા શેખ (Sanjeeda Shaikh) ઘણા સમયથી અલગ રહેતા હતા, પરંતુ હવે આખરે બંનેના છૂટાછેડા થઈ ગયા છે. બંનેના 9 વર્ષ જૂના સંબંધોનો અંત આવ્યો છે. બંનેને એક દીકરી પણ છે જે અત્યાર સુધી બંને સાથે રહેતી હતી. ક્યારેક અભિનેત્રી પોતાની દીકરી સાથે તો ક્યારેક અલી સાથે ફોટો શેર કરે છે. પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ સંજીદાને દીકરીની કસ્ટડી મળી ગઈ છે.

બંને એકબીજાથી અલગ થયા પછી પોતપોતાની જિંદગીમાં આગળ વધી ગયા છે. બંને ખૂબ જ પર્સનલ લોકો છે, તેથી આ મુદ્દા પર ક્યારેય બોલ્યા નથી અને ભાગ્યે જ તેમના છૂટાછેડાની જાહેરાત કરશે.

આમિર અને સંજીદાએ ઘણા વર્ષો સુધી સાથે રહ્યા બાદ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આમ પણ ઘણી વખત બંને કેટલાક શોમાં સાથે જોવા મળ્યા હતા. બંને સોશિયલ મીડિયા પર પણ એકબીજાની પોસ્ટ શેર કરતા હતા. પરંતુ ત્યારપછી વર્ષ 2020થી બંનેના લગ્નમાં તિરાડના સમાચાર આવવા લાગ્યા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને અલગ-અલગ રહે છે અને બાદમાં તેની પુષ્ટિ પણ થઈ હતી. અલીને છોડીને સંજીદા તેના માતાપિતાના ઘરે રહે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જ્યારે તેમના અલગ થવાના સમાચાર આવ્યા, ત્યારે તેમની પુત્રી વિશે પણ માહિતી સામે આવી હતી. બંનેને સરોગસી દ્વારા એક પુત્રી છે. બંને પોતાની દીકરી સાથે ફોટો શેર કરતા રહે છે. ક્યારેક દીકરી આમિર સાથે રહે છે તો ક્યારેક સંજીદા સાથે રહે છે. હજુ સુધી બંનેમાંથી કોઈએ તેમના અલગ થવા પર કંઈ કહ્યું નથી.

આમિરથી અલગ થયા બાદ સંજીદા પોતાનું સંપૂર્ણ ધ્યાન પોતાની દીકરી અને પ્રોફેશનલ લાઈફ પર રાખી રહી છે. તે ગયા વર્ષે 2 ફિલ્મો તૈશ અને કાલી કુહીમાં જોવા મળી હતી. હવે તે કુન ફયા કુન અને મૈં તે બાપુમાં જોવા મળશે.

આ પણ વાંચો –

Big News : નાના પાટેકરની મિમિક્રી કરનાર કોમેડિયન તીર્થાનંદ રાવે આત્મહત્યાનો કર્યો પ્રયાસ

આ પણ વાંચો –

લોકશાહી પર હુમલો : PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને કંગના રનૌત આકરા પાણીએ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">