Shocking : Taarak Mehta Ka Ooltah Chashmah માં દયાબેનની વાપસી અંગે આવ્યા મોટા સમાચાર
ઘણી વાતચીત કર્યા પછી દિશા વાકાણીએ શોને અલવિદા લેવાનું નક્કી કર્યું છે. એટલે કે ટૂંક સમયમાં દર્શકોને નવા દયાબેન શો પર પાછા ફરતા જોવા મળશે.
સોની સબ ટીવીના પ્રખ્યાત શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હંમેશા દર્શકોના દિલ પર રાજ કરતું આવ્યું છે. પરંતુ હજી પણ જેઠાલાલનો પરિવાર દયાબેન વગર હમેશા અધુરુ લાગે છે. તારક મહેતાના ચાહકો છેલ્લા ચાર વર્ષથી દયાબેનની ભૂમિકા નિભાવતી અભિનેત્રી દિશા વાકાણીની શો પર પાછા આવવાની આતુરતાથી રાહ જોતા હતા. પરંતુ તેમના માટે એક ખરાબ સમાચાર છે. સૂત્રોનું માનવામાં આવે તો, ઘણી વાતચિત કર્યા પછી દિશા વાકાણીએ શોને અલવિદા આપવાનું નક્કી કર્યું છે. એટલે કે, ટૂંક સમયમાં દર્શકો નવા દયાબેન શોમાં પાછા ફરતા જોવા મળશે.
તારક મહેતાના નિર્માતા અસિત મોદી અને નીલા ટેલિફિલ્મ્સ હંમેશા માને છે કે આ સિરિયલનું દરેક પાત્ર મહત્વપૂર્ણ અને વિશેષ છે. તેથી, સીરીયલના સેટ પર, દરેકને સમાન ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. અગાઉ પણ ઘણા સીરિયલ કલાકારોએ મૈટરનિટી બ્રેક લીધો હતો અને ત્યારબાદ તે શોમાં પાછો ફર્યો હતો. તે કલાકારોને આપવામાં આવતી સુવિધાઓ કરતાં વધુ સુવિધાઓ દેવાની એક્ટ્રેસ દિશાની માંગને મેકર્સ દ્વારા શરુઆતમાં નકારી કાઢી હતી.
થોડા દિવસો શુટ કર્યું
પહેલી વાર કઈ વાત ન બની પછી ફરી એક વાર દિશા વાકાણી સાથે નિર્માતાઓ વાત કરવાનો પ્રયાસ કર્યો. જેથી તે શોમાં વાપસી થઈ શકે. તેમની એન્ટ્રી વિશે યોગ્ય સમય અને વાર્તા પણ લખાઈ રહી હતી. દિશાએ પણ વચ્ચે થોડા દિવસો શૂટિંગ કર્યું હતું. આ સીનમાં તે પોતાના પરિવાર એટલે કે જેઠાલાલ, પુત્ર અને ગોકુલધામના અન્ય પડોશીઓ સાથે ફોન પર વાત કરી રહી છે અને બધાને ખાતરી આપી રહી છે કે તે જલ્દી જ ગોકુલધામ પરત ફરશે. પણ હવે એવું થાય તેમ લાગતું નથી.
2017 માં શોમાંથી લેવામાં આવ્યો હતો મેટરનિટી બ્રેક
કોરોનાને કારણે લોકડાઉન પછી નિર્માતાઓ અને દિશા વાકાણી વચ્ચે કેટલીક બાબતો વિશે છેલ્લી વાતચીત થઈ. આ વાતચીતમાં દુર્ભાગ્યથી કોઈ વાત ન બની. અને આ કારણથી દિશા વાકાણીએ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ને કાયમ માટે વિદાય આપવાનું નક્કી કર્યું છે. હવે, દિશા વાકાણીને બદલે નવી દયા બેન શોમાં એન્ટ્રી કરી શકે છે. દિશા વાકાણીએ 2017 માં શોમાંથી મેટરનિટી બ્રેક લીધો હતો.