અલ્લુ અર્જુનને બદલે કાર્તિક આર્યનને સાઇન કરવું આ ફિલ્મના મેકર્સને પડ્યુ મોંઘુ

અલ્લુ અર્જુનની ફિલ્મ અલા વૈકુંઠપુરમ્લોની હિન્દી રિમેકમાંથી તેને હટાવીને કાર્તિક આર્યનને ફિલ્મમાં લેવાથી શહજાદાના નિર્માતાઓના 8 કરોડ વધુ ખર્ચાયા.

અલ્લુ અર્જુનને બદલે કાર્તિક આર્યનને સાઇન કરવું આ ફિલ્મના મેકર્સને પડ્યુ મોંઘુ
Kartik Aaryan and Allu Arjun
| Edited By: | Updated on: Jan 12, 2022 | 5:09 PM

બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aryan) ટૂંક સમયમાં જ અલ્લુ અર્જુનની (Allu Arjun) બ્લોકબસ્ટર ફિલ્મ અલા વૈકુંઠપુરમ્લોની સત્તાવાર રિમેક ‘શહેજાદા’માં જોવા મળશે. હવે આ ફિલ્મ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, અગાઉ અલા વૈકુંઠપુરમ્લોના નિર્માતાઓ ઈચ્છતા હતા કે અલ્લુ અર્જુન તેની હિન્દી રિમેકમાં પણ અભિનય કરે.

પરંતુ જ્યારે તેમને ખબર પડી કે બોલિવૂડમાં આ ફિલ્મની રિમેકમાં, રોહિત ધવન કાર્તિક આર્યન સાથે ફિલ્મ શહેજાદાનું પ્લાનિંગ કરી રહ્યો છે, આ પછી શહેજાદાના નિર્માતાઓએ કાર્તિક આર્યનને એક્સ્ટ્રા 8 ફિલ્મમાં કાસ્ટ કરવા ગોલ્ડમાઈન્સ ટેલિફિલ્મ્સના મનીષ શાહને કાસ્ટ કરવા 8 કરો઼ડની જંગી કિંમત ચૂકવવી પડી હતી.

હવે બધા જાણે છે કે આ સમયે અલ્લુ અર્જુનની લોકપ્રિયતા પુષ્પા ફિલ્મથી દેશભરમાં વધી ગઇ છે. જેમાં હિન્દી ભાષી ઓડિયન્સનો એક મોટો વર્ગ પણ સામેલ છે. હવે આવી સ્થિતિમાં તેમની કોઈ પણ ફિલ્મની રિમેક હિન્દીમાં આવશે તો સ્વાભાવિક રીતે જ અપેક્ષા પણ મોટી હશે, તેથી જ અલ્લુ અર્જુનની ફિલ્મ અલા વૈકુંઠપુરમલો શહેજાદાની હિન્દી રિમેકની જાહેરાત કરવામાં આવી છે.

જે બાદ આ ફિલ્મ પાસેથી દર્શકોની અપેક્ષા વધી ગઈ છે. જોકે આ ફિલ્મ પુષ્પાની જેમ બોક્સ ઓફિસ પર સફળ થશે કે નહીં, એ તો સમય જ કહેશે, પણ હા ક્યાંક ને ક્યાંક, શહેજાદાના મેકર્સ અને કાર્તિક ચોક્કસ ખુશ હશે કે જો આ ફિલ્મ અલ્લુની ફિલ્મની રિમેક બને તો કદાચ તેમને તેનો ફાયદો મળી શકે.

કાર્તિક આર્યન આલા વૈકુંઠપુરમલો રિમેક સાથે એક્શન સિનેમામાં પોતાનો હાથ અજમાવવા જઈ રહ્યો છે.અત્યાર સુધી કાર્તિક આર્યનની ઈમેજ ઈન્ડસ્ટ્રીમાં ચોકલેટ બોયની રહી છે. કાર્તિક આર્યનની આવનારી ફિલ્મો અલગ-અલગ પ્રકારની છે. જેમાં તે પોતાના પાત્રો સાથે પ્રયોગ કરતો જોવા મળશે. શહેજાદા ફિલ્મમાં કૃતિ સેનન પણ કાર્તિક આર્યન સાથે જોવા મળશે.

જે રીતે ઈન્ડસ્ટ્રીમાં કાર્તિક આર્યનની ડિમાન્ડ વધી રહી છે, તે જ રીતે કાર્તિક આર્યન પણ તેની ફી વધારી રહ્યો છે. અહેવાલો અનુસાર, કાર્તિક આર્યનએ તેની આગામી ફિલ્મ શહેજાદા માટે 21 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, કાર્તિક આર્યનની આ માંગને ફિલ્મના નિર્માતાઓએ સ્વીકારી લીધી હતી. હવે જ્યારે મેકર્સે કાર્તિક આર્યન પર મોટો દાવ રમ્યો છે, તો તે કંઈક વિચારીને રમ્યો હશે. તમને જણાવી દઈએ કે આલા વૈકુંઠપુરમ્લોની ટિકિટો દર્શકોએ હાથોહાથ ખરીદી હતી.

આ પણ વાંચો –

ઠગ સાથેના વાયરલ ફોટો પર ટ્રોલ થઇ જેક્લીન ફર્નાન્ડીઝ, યૂઝર્સ બોલ્યા – ‘સુકેશ કરતા તો તારો બોડીગાર્ડ સારો છે’

આ પણ વાંચો –

Sakshi Tanwar Fashion Style: એક્ટ્રેસ સાક્ષી તંવર પાસે છે જબરદસ્ત સાડીનું કલેક્શન, જુઓ તસ્વીર