Shahrukh Khan અને ગૌરી પુત્ર આર્યન માટે શોધી રહ્યા છે પ્રાઈવેટ બોડીગાર્ડ, હવે દરેક હિલચાલ પર રાખવામાં આવશે નજર

શાહરૂખ ખાન (Shahrukh Khan) અને ગૌરી ખાન (Gauri Khan)ના પુત્ર આર્યન (Aryan)ને ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. તે હવે જેલમાંથી ઘરે પરત ફર્યો છે.

Shahrukh Khan અને ગૌરી પુત્ર આર્યન માટે શોધી રહ્યા છે પ્રાઈવેટ બોડીગાર્ડ, હવે દરેક હિલચાલ પર રાખવામાં આવશે નજર
Shahrukh Khan, Aryan Khan, Gauri Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 9:26 PM

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન (Shahrukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ની NCB દ્વારા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે લગભગ એક મહિના પછી આર્યન જેલમાંથી તેના ઘરે પાછો આવ્યો છે. આર્યનને બોમ્બે હાઈકોર્ટે જામીન આપી દીધા છે, ત્યારબાદ તે 30 ઓક્ટોબરે પોતાના ઘરે પરત ફર્યો છે. શાહરૂખ અને ગૌરી તેમના પુત્રની સુરક્ષા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે. હવે એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલના અહેવાલ મુજબ શાહરૂખ ખાન આર્યન માટે પ્રાઈવેટ બોડીગાર્ડની શોધમાં છે. જે આર્યનની સુરક્ષાનું ધ્યાન રાખી શકે.

શાહરૂખ ખાનને લાગ્યો ડર

જો અહેવાલોનું માનીએ તો આર્યન ખાનની ધરપકડ બાદ શાહરૂખ ખાન ડરી ગયા છે, તેમને લાગે છે કે વસ્તુઓ આ સ્તરે પહોંચી ગઈ છે. જો તે સમયે આર્યન સાથે કોઈ બોડીગાર્ડ હોત તો તે તેની સંભાળ લેત. જેમ કે તેમની પાસે રવી છે. જે તેમની રક્ષા કરે છે. શાહરૂખ હવે વહેલી તકે આર્યન માટે બોડીગાર્ડની શોધમાં છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

આર્યન માટે રૂટીન પ્લાન કર્યું

જ્યારે આર્યનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી ત્યારે શાહરૂખ ખાન અને ગૌરીએ ચિંતામાં ઘણા દિવસો કાઢયા. હવે જ્યારે આર્યન બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મેળવીને ઘરે આવ્યો છે, ત્યારે શાહરૂખ અને ગૌરીએ તેના માટે કડક રૂટિન બનાવી દીધું છે.

જો રિપોર્ટ્સનું માનીએ તો આર્યનને થોડા દિવસો માટે ઘરની બહાર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે કારણ કે ઘરની બહાર મીડિયા અને ફેન્સ એકઠા થયા છે. એટલું જ નહીં આર્યનને થોડા દિવસો માટે પાર્ટીઓમાં જવાની પણ મનાઈ કરી દેવામાં આવી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો ગૌરી ખાન આર્યનનું મેડિકલ ચેકઅપ કરાવવા માંગે છે કારણ કે તે ઘણા દિવસોથી ઘરથી દૂર જેલમાં રહ્યો હતો.

ભોજન રાખશે સંપૂર્ણ ધ્યાન

ગૌરી આર્યનની તબિયતને લઈને ચિંતિત છે. રિપોર્ટ્સ અનુસાર જ્યારે આર્યનનું હેલ્થ ચેકઅપ કરવામાં આવશે ત્યારે તેના માટે યોગ્ય ડાયટ ચાર્ટ બનાવવામાં આવશે કારણ કે તે જેલમાં યોગ્ય રીતે ખાતો ન હતો. એટલું જ નહીં, આર્યનના માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવશે અને તેના માટે કાઉન્સેલિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

શાહરૂખ ખાન અને ગૌરીએ પ્લાન બનાવ્યો છે કે આર્યન 2-3 મહિના ઘરની અંદર રહેશે, એટલું જ નહીં તે દીકરાની દરેક હિલચાલ પર નજર રાખશે, સાથે જ તે ક્યા લોકોની કંપનીમાં રહે છે તેના પર પણ ધ્યાન રાખવામાં આવશે.

આ પણ વાંચો :- Janhvi Kapoor અને સારા અલી ખાન પહોંચ્યા કેદારનાથ મંદિર, દર્શન કરતી વખતે બંનેના ફોટા આવ્યા સામે

આ પણ વાંચો :- Love Story: ફિલ્મોમાં કામ કરતી વખતે એકબીજાને આપ્યું દિલ, જાણો ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની અનોખી લવ સ્ટોરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">