આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પ્રભાકર સાઈલનો મોટો ખુલાસો, સંજય રાઉતે રાજ્ય સરકાર પાસે પ્રભાકરની સુરક્ષાની માગ કરી
સંજય રાઉતે કહ્યું કે, સેમ ડિસુઝા મની લોન્ડરિંગની રમતનો જૂનો ખેલાડી છે. તે મોટા નેતાઓ અને કલાકારોના પૈસા વિદેશ મોકલે છે. આ એક વિશાળ રમત છે. ખેલ હવે શરૂ થયો છે. નવાબ મલિકે તમને ઇન્ટરવલ સુધી વાર્તા સંભળાવી, હું તમને આગામી સ્ક્રીન પ્લે વિશે કહીશ.
Aryan Khan Drugs Case : શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે એક ટ્વિટ કર્યું હતું. તે ટ્વિટમાં આર્યન ખાનનો દરોડા સમયનો વીડિયો છે. આ કેસમાં ફરાર સાક્ષી કેપી ગોસાવી વીડિયોમાં આર્યન ખાન (Aryan Khan) સાથે મળે છે. તેની સાથે કાળા ડ્રેસમાં એક વ્યક્તિ છે.
આ વ્યક્તિ કોણ છે ?
આ ટ્વીટ દ્વારા સંજય રાઉતે NCB ઓફિસર સમીર વાનખેડે (Sameer Wankhede) પર પ્રહાર કરતા જણાવ્યું કે, કેવી રીતે આ કેસમાં પ્રભાકર સાઈલ નામના વ્યક્તિને સાક્ષી બનાવવામાં આવ્યો. આ વિશે ભાજપના સાંસદ મોહિત કંબોજે ટ્વિટ કરીને સંજય રાઉતને પૂછ્યું હતું કે આ વ્યક્તિ કોણ છે ? મોટા નેતાઓ અને અભિનેતાઓ સાથે આનો શું સંબંધ છે ? ત્યારે સંજય રાઉતે દાવો કર્યો છે કે આ વ્યક્તિ સેમ ડિસુઝા છે.
સેમ મની લોન્ડરિંગની રમતનો જૂનો ખેલાડી છે : સંજય રાઉત
વધુમાં સંજય રાઉતે કહ્યું કે, સેમ મની લોન્ડરિંગની રમતનો જૂનો ખેલાડી છે. તે મોટા નેતાઓ અને કલાકારોના પૈસા વિદેશ મોકલે છે. આ એક વિશાળ રમત છે. નવાબ મલિકે અંતરાલ સુધી તમને વાર્તા સંભળાવી, હું તમને આગામી સ્ક્રીન પ્લે કહીશ.
Sam D’Souza is the biggest money-laundering player of Mumbai & country. It’s a big game which has just started. Facts which came to light are shocking. Under Deshbhakti pretext, some people are extorting money, lodging fake cases: Shiv Sena’s Sanjay Raut on drugs-on-cruise case pic.twitter.com/xsPTMWigux
— ANI (@ANI) October 25, 2021
પ્રભાકર સાઈલને રાજ્ય સરકાર સુરક્ષા આપશે
સંજય રાઉતે કહ્યું કે, હું પ્રભાકર સાઈલની હિંમતની પ્રશંસા કરું છું. તેમણે આ સમગ્ર કેસમાં વસૂલાતની (Money Laundering Case) બાબતને સામે લાવી દેશની સેવા કરી છે. તેમની સુરક્ષા માટે રાજ્ય સરકાર આગળ આવશે. તેને ડરાવવાનો પ્રયાસ થશે, પરંતુ અમે તે થવા દઈશું નહીં.
કેપી ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સાઈલે એક મોટો ખુલાસો કર્યો હતો
તમને જણાવી દઈએ કે, ગઈકાલે કેપી ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સાઈલે (Prabhakar Sail) એક મોટો ખુલાસો કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે આર્યન ખાનના કેસને દબાવવા માટે તેણે કિરણ ગોસાવી અને સેમ ડિસુઝા વચ્ચેની વાતચીત સાંભળી હતી. આ વાતચીતમાં એવું સામે આવ્યું કે 25 કરોડ મૂકો અને 18 કરોડમાં ડીલ ફિક્સ કરો. તેમાંથી 8 કરોડ રૂપિયા એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને આપવાનું કહેવાયું હતું, જેઓ સમગ્ર કેસની તપાસ કરી રહ્યા હતા.પ્રભાકરના આ દાવા બાદ હાલ ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો: Video : આ યુવતી અદ્ભૂત ડાન્સ કરી રહી હતી, પરંતુ બાદમાં કંઈક એવુ થયુ કે જોનારની આંખો ચાર થઈ ગઈ !