Ranvir Shorey કોરોના રિપોર્ટ નેગેટિવ, અભિનેતાએ કહ્યું , હજી સુગંધ અને સ્વાદ લેવા માટે સક્ષમ નથી
અભિનેતા રણવીર શૌરીએ સોશ્યલ મીડિયા દ્વારા જણાવ્યું છે કે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ તેમ છતાં તે કોઈ પણ વસ્તુનો સ્વાદ આવતો નથી અને સુગંધ આવતી નથી.
બોલીવુડ અભિનેતા રણવીર શૌરીએ કોવિડ -19 ની તપાસમાં નેગેટિવ હોવાનું લોકોને તેમની તબિયત વિશે માહિતગાર કર્યા છે. તેમણે કહ્યું છે કે તેમને હજી પણ સ્વાદ અને ગંધ લેવામાં મુશ્કેલી આવી રહી છે. રવિવારે એક ટ્વિટર યુઝરે રણવીરને પૂછ્યું કે તે હવે કેવું અનુભવે છે અને શું તે ભોજનનો સ્વાદ લઈ શકે છે કે નહીં? આના જવાબમાં અભિનેતાએ કહ્યું, “દુર્ભાગ્યે, હું હજી પણ તે લઈ શક્તો નથી. મને ચાખવામાં અને સુગંધ લેવામાં મુશ્કેલી આવી રહી છે. તમે પુછવા બદલ આભાર.”
Sadly, no, not yet. Taste and smell are still lost. ☹️Thanks for asking. 🙏🏽 #covidlife #covidsurvivor https://t.co/QNp1PgWwBZ
— Ranvir Shorey (@RanvirShorey) March 7, 2021
ગયા મહિને રણવીરે કોવિડ -19 ની વાત કહી હતી. તેમને કોરોનાના હળવા લક્ષણો હતા.
ગયા અઠવાડિયે, તેમણે ટ્વિટ કરીને પોતાના ચાહકોને કહ્યું હતું કે તેઓ કોવિડ પરીક્ષણમાં નેગેટીવ જોવા મળ્યા છે.
અભિનેતાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, “ક્વોરેન્ટાઇન અને સારવારના એક અઠવાડિયા પછી, હું એમ કહીને ખુશ છું કે કોવિડની તપાસમાં હું નેગેટિવ મળી આવ્યો છુ.”
અભિનયની વાત કરીએ તો રણવીર તાજેતરમાં વેબ સિરીઝ ‘મેટ્રો પાર્ક’ની બીજી સિઝનમાં દેખાયા હતા, જેમાં તેમણે કલ્પેશ પટેલનું પાત્ર ભજવ્યું હતું.