જાણો લગ્ન બાદ કેમ રણવીરસિંહ બન્યો ઘરજમાઈ? કારણ જાણીને દરેક યુવતીને થશે, કાશ.. મારો વર પણ આવું કરે!
લગ્ન બાદ રણવીરસિંહ, દીપિકાના ઘરમાં રહે છે અને રણવીરે આમ કરવાનું કારણ પણ જણાવ્યું. તમને પણ જાણીને નવાઈ લાગશે અને આનંદ પણ થશે કે આખરે રણવીરે કેમ લીધો આ નિર્ણય. આપણે સમાજમાં એવું જ જોતા આવ્યા છીએ કે લગ્ન બાદ છોકરીઓ પોતાના સાસરે જાય, પરંતુ બૉલિવૂડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના મામલામાં આનાથી બિલકુલ […]
લગ્ન બાદ રણવીરસિંહ, દીપિકાના ઘરમાં રહે છે અને રણવીરે આમ કરવાનું કારણ પણ જણાવ્યું. તમને પણ જાણીને નવાઈ લાગશે અને આનંદ પણ થશે કે આખરે રણવીરે કેમ લીધો આ નિર્ણય.
આપણે સમાજમાં એવું જ જોતા આવ્યા છીએ કે લગ્ન બાદ છોકરીઓ પોતાના સાસરે જાય, પરંતુ બૉલિવૂડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના મામલામાં આનાથી બિલકુલ ઉંધુ થયું છે. તમને કદાચ નહીં ખબર હોય કે લગ્ન બાદ રણવીર દીપિતાના ઘરમાં રહેવા આવી ગયો છે અને આખરે કેમ તેણે સમાજના આ નિયમને તોડતો નિર્ણય લીધો તે પણ જાણો.
દીપિકાના ઘરમાં રહેવા જવાના નિર્ણય પર રણવીરે કહ્યું,
“મેં નાનપણથી જે લગ્નો જોયા છે તેમાં અનુભવ્યું છે કે તેમાં કમિટમેન્ટથી બચવાનો કે ભાગવાનો કોઈ વિકલ્પ નથી રહતો.”
અને તેવામાં રણવીર નહોતો ઈચ્છતો કે દીપિકા પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી અને એટલે એક એવો નિર્ણય લીધો કે જેનાથી સૌ કોઈને આશ્વર્ય થાય. દીપિકા પોતાના કમ્ફર્ટ ઝોનમાં રહી શકે તે માટે રણવીરે દીપિકાના ઘરમાં શિફ્ટ થવાનો નિર્ણય લીધો.
રણવીરે વધુમાં એમ પણ કહ્યું કે તે હંમેશાંથી દીપિકાને પહેલી પ્રાથમિકતા આપવાનો પ્રયાસ કરે છે અને એટલે જ તેણે દીપિકાના ઘરમાં શિફ્ટ થવાનું નક્કી કર્યું.
વાહ રે, રણવીર, પહેલા તો બેસ્ટ બૉયફ્રેન્ડનું બિરૂદ મેળવ્યું અને હવે બેસ્ટ હસબન્ટનું ટાઈટલ પણ તેને જ મળે તો નવાઈ નહીં.
[yop_poll id=670]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]