પત્ની અને પુત્રીની નજીક રહેવા માટે Randhir Kapoor નવા મકાનમાં થશે શિફ્ટ, જૂના ઘરને લઈ ખોલ્યું આ રહસ્ય
ફિલ્મના દિગ્ગજ નેતા રણધીર કપૂરે તાજેતરમાં એક નવું મકાન ખરીદ્યું હતું. એક ઇન્ટરવ્યૂ મુજબ, રણધીર તેમની પત્ની અને પુત્રીની નજીક રહેવા માટે બાંદ્રામાં નવા મકાનમાં શિફ્ટ થવાની તૈયારી કરી રહ્યો છે.
લિજેન્ડરી ફિલ્મ અભિનેતા રણધીર કપૂર તાજેતરમાં કોરોનાથી સંક્રમિત થયા છે. રણધીરની તબિયત સ્થિર છે અને તેમની સારવાર મુંબઇની કોકિલા બેન હોસ્પિટલમાં ચાલી રહી છે. તે જ સમયે, અગાઉ આપેલી એક મુલાકાતમાં, રણધીર કપૂરે તેમના પરિવાર, મિત્રો અને અંગત જીવન વિશેની ઘણી મહત્વપૂર્ણ વાતો ચાહકો સાથે શેર કરી હતી.
રણધીર કપૂરે તેમના ઇન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો છે કે તેમણે પત્ની અને પુત્રીની નજીક રહેવા માટે એક નવું મકાન ખરીદ્યું છે. ઇન્ટરવ્યૂ દરમિયાન રણધીર કપૂરે કહ્યું હતું કે બબીતા અને હું મળતા રહીએ છીએ અને અમે બંને આવીજ રીતે ખુશ રહીએ છીએ. અને હા મેં બાંદ્રામાં એક ઘર ખરીદ્યું છે. જલ્દીથી હું મારા ચેમ્બુર વાળા ઘરથી બાંદ્રા શિફ્ટ થઈ જઈશ જેથી હું મારી પત્ની અને પુત્રીઓની નજીક રહી શકું.
નવા મકાનમાં જલ્દીથી શિફ્ટ થશે રણધીર કપૂર
રણધીર કપૂરના આ નવા મકાનમાં ફાઈનલ ટચનું કામ ચાલી રહ્યું છે. અગાઉ, આ કોરોના સંક્રમણને કારણે થયેલ લોકડાઉનનાં કારણે આ ઘરનું કામ બંધ કરાયું હતું. જો કામ બંધ ન કરાયું હોત તો ઘરનું કામ હવે પૂરું થઈ ગયું હોત અને રણધીર તેમના નવા મકાનમાં શિફ્ટ પણ થઈ ગયા હોત.
જૂનું મકાન વેચાય તો તેના ચાર ભાગ થશે
આ દરમિયાન, તેમના નવા મકાન વિશે પુછાતા સવાલ અંગે રણધીર કપૂરે કહ્યું કે હા આ મારા રહેવા માટે આ ઘર બહુ મોટું છે. ચેમ્બુરમાં જૂનું મકાન વેચવા અંગેના સવાલ પર રણધીરે કહ્યું કે મારા માતા-પિતાએ મને કહ્યું હતું કે હું જ્યાં સુધી ઇચ્છું ત્યાં સુધી રહી શકું છું.
પરંતુ જો ઘર વેચવાની વાત કરવામાં આવે તો, આ કિસ્સામાં આ ઘર – ઋષિ, રાજીવ, રીમા અને મારામાં એટલે કે અમારા ચારમાં વહેંચવામાં આવશે. અને મેં તેમને કહ્યું કે આવું જ થશે, અને તેમાં કોઈ સમસ્યા નથી. રણધીરે કહ્યું કે મેં ચેમ્બુરનું ઘર વેચતા પહેલા બાંદ્રામાં એક ઘર ખરીદ્યું છે. મારી કારકીર્દિ સારી રહી છે. હું ખૂબ સારા કુટુંબનો છું અને મેં સમય પર સારું રોકાણ પણ કર્યું હતું.
આ પણ વાંચો :- Kangana Ranaut નો દાવો, Instagram એ ડિલીટ કરી તેમની પોસ્ટ, લાગી શકે છે પ્રતિબંધ
આ પણ વાંચો :- Taarak Mehta Ka Ooltah Chashma નાં ‘જેઠાલાલ’નું નિવેદન, સરકારને દોષ ન આપો, નિયમોને અનુસરો