Rajpal Yadavને પસંદ નથી વેબ શોઝ, કહ્યું મને અપશબ્દો વગર પણ તાળીઓ મળી છે
પોતાના ઉત્કૃષ્ટ અભિનય અને કોમેડીથી હંમેશા દરેકનું દિલ જીતનાર રાજપાલ યાદવ (Rajpal Yadav) કહે છે કે તે વેબ શોઝ નથી કરી શકતા.
અભિનેતા અને હાસ્ય કલાકાર રાજપાલ યાદવ (Rajpal Yadav) , જેઓ હંમેશા તેમની કોમેડીથી તેમને હસાવતા હોય છે, તેઓ કહે છે કે તેઓ પોતાને OTT પ્લેટફોર્મ માટે પરફેક્ટ નથી લાગતા. તેમણે તાજેતરમાં એક ઈન્ટરવ્યું દરમિયાન કહ્યું હતું કે, ‘OTT ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે, પરંતુ મને નથી લાગતું કે હું તેમાં ફિટ થઈ શકું. જે પ્રકારની વેબ સિરીઝ થોડા વર્ષોથી આવી રહી છે, હું તેમની સાથે બિલકુલ સંબંધિત નથી. મને અપશબ્દો બોલવા નથી પસંદ, પરંતુ આજકાલ વેબ સિરીઝમાં આ જ ચાલી રહ્યું છે. મને મારા કામ માટે અપશબ્દોનો ઉપયોગ કર્યા વગર પણ તાળીઓ મળી છે.
રાજપાલે આગળ કહ્યું, ‘હું તે વસ્તુઓ ક્યારેય કરતો નથી જે મને વાસ્તવિક જીવનમાં ગમતી નથી. હું ખોટી વાતો કહીને પૈસા કમાવા માંગતો નથી અને શુક્ર કે હું નથી કરતો. હું ખૂબ નસીબદાર છું કે 2 દાયકા પછી પણ લોકો મને જોઈને કંટાળ્યા નથી. હું મારા ચાહકોને સંપૂર્ણ શ્રેય આપવા માંગુ છું જેમણે મારામાં અભિનેતાને જીવંત રાખ્યા છે.
તમને જણાવી દઈએ કે રાજપાલ છેલ્લે ‘કુલી નંબર 1’ અને ‘હંગામા 2’ માં જોવા મળ્યા હતા જે ફક્ત OTT પર રિલીઝ થઈ હતી.
તમે રાજપાલ યાદવને મોટાભાગની ફિલ્મોમાં સહાયક ભૂમિકામાં જોયા હશે. તેમનું કહેવું છે કે ફિલ્મમાં માત્ર એક જ વ્યક્તિએ તેમને મુખ્ય ભૂમિકામાં લીધા છે, તે છે રામ ગોપાલ વર્મા. રાજપાલે રામ ગોપાલ વર્મા સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
રામ ગોપાલે આપી લીડ હીરો બનવાની તક
રાજપાલે કહ્યું, ‘માત્ર રામ ગોપાલ વર્માએ જ મને તેમની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા તરીકે કામ કરાવ્યું હતું અને તેનું નામ છે મેં માધુરી દીક્ષિત બનના ચાહતી હું.’ તેમણે વધુમાં કહ્યું, ‘તે સમયે હું અમિતાભ બચ્ચન, સંજય દત્ત, સલમાન ખાન, અજય દેવગણ, શાહરુખ ખાન અને હૃતિક રોશન સાથે એવોર્ડ માટે નામાંકિત થયો હતો.
પોતાની ફિલ્મોમાં રીમેક કરવાનો અનુભવ
તમને જણાવી દઈએ કે રાજપાલ તેમની ઘણી ફિલ્મોની સિક્વલમાં કામ કરી રહ્યા છે જેમાં કુલી નંબર 1, હંગામા 2 અને ભૂલ ભુલૈયા 2 જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેથી જ્યારે રાજપાલને પૂછવામાં આવ્યું કે તેની પોતાની હિટ ફિલ્મોની સિક્વલમાં કામ કરવું તેના માટે કેટલું પડકારજનક છે. તો તોમણે કહ્યું, આશા આ દુનિયાની સૌથી ખતરનાક વસ્તુ છે. મેં મારી જાતને ક્યારેય હીરો નથી કહ્યો કારણ કે મેં મારા જીવનમાં ઘણા વાસ્તવિક હીરો જોયા છે. જે વ્યક્તિ કાચની બારી સાફ કરે છે અથવા જે પહાડોમાંથી એક સંપૂર્ણ સુરંગ બનાવે છે. આ લોકોની સરખામણીમાં, હું મારી જાતને શૂન્ય માનું છું. પરંતુ તેનો અર્થ એ નથી કે હું મારી જાતને ઓછો સમજુ છું. મારું મૂલ્ય વધે છે જ્યારે તેમાં શૂન્ય ઉમેરવામાં આવે છે.
આ પણ વાંચો:- કોરોનાથી જંગ જીત્યા બાદ Aniruddh Dave ફરશે કામ પર પરત, કહ્યું- લાંબા વિરામ બાદ કામ કરવા માટે ઉત્સાહિત છું
આ પણ વાંચો:- Abhishek Bachchan એ છોડ્યો જોન અબ્રાહમનો સાથ, ‘અય્યપ્પનમ કોશીયુમ’ની રિમેકમાંથી થયા બહાર