Sushant Singh Rajput ને યાદ કર્યા પછી ભાવુક થયા Rajkummar Rao
સુશાંત સિંહ રાજપૂતની 'કાય પો છે!' માં મહત્વની ભૂમિકા હતી. ફિલ્મ માટે અભિનેતાની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. રાજકુમાર અને સુશાંત આ ફિલ્મથી સારા મિત્રો બન્યા હતા.
પ્રખ્યાત નવલકથાકાર ચેતન ભગત દ્વારા લખેલુ ઉપન્યાસ ‘થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ’ પર આધારિત બોલીવુડની ફિલ્મ ‘કાય પો છે!’ ને 8 વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મ વર્ષ 2013 માં રિલીઝ થઈ હતી. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આ ફિલ્મથી બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મમાં સુશાંત ઉપરાંત રાજકુમાર રાવ અને અમિત સાધ પણ જોવા મળ્યા હતા. આ વિશેષ પ્રસંગે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને સહ-અભિનેતા રાજકુમાર રાવ યાદ કર્યા છે.
સુશાંત સિંહ રાજપૂતની ‘કાય પો છે!’ માં મહત્વની ભૂમિકા હતી. ફિલ્મ માટે અભિનેતાની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. રાજકુમાર અને સુશાંત આ ફિલ્મ સાથે સારા મિત્રો બન્યા હતા. આ જ કારણ છે કે જ્યારે સુશાંતનું અવસાન થયું, ત્યારે તે એક્ટરને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા હતા.
એવામાં હવે સુશાંતને ‘કાય પો છે!’ માટે રાજકુમારે યાદ કર્યા છે. તાજેતરમાં રાજકુમારે ઈન્સ્ટાગ્રામ પર સ્ટેટ્સ લગાવ્યું અને લખ્યું છે કે, હાર્દિક અભિનંદ, ફિલ્મ ‘કાય પો છે!’ એ 8 વર્ષની ઉજવણી કરી, મારામાં રહેલા અભિનેતાને વધુ સશક્તિકરણ કરવાની છૂટ આપી. જાણે ગઈકાલની વાત છે, જ્યારે સુશાંત, અમિત અને હું ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. તમે મારા પ્રિય @sushantsinghrajput @theamitsad @amupuri @abhishekapoor #suatikSen # sidrovka.r #ronniescrewyala Ocastingchhabni [8yearsofkaipoche” ને યાદ કરશો.
રાજકુમારે ફિલ્મ માટે સુશાંતને જે રીતે યાદ કર્યા છે, તે ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. આ પહેલા ફિલ્મના ડાયરેક્ટર અભિષેક કપૂરે સુશાંતને યાદ કર્યા હતા. અભિષેક કપૂરે કહ્યું કે તે આ ફિલ્મ માટે એક એવા પાત્રની શોધમાં હતા જે આ ફિલ્મને કાયમ માટે યાદગાર બનાવી દે. ફિલ્મમાં રાજકુમાર રાવ, અમિત સાધ અને સુશાંત સિંહ રાજપૂતે સરસ કામગીરી કરી હતી અને આ ફિલ્મ કાયમ માટે યાદગાર બનાવી દીધી હતી.
સુશાંત અંગે ડિરેક્ટરે કહ્યું કે સુશાંત એક તેજસ્વી અભિનેતા હતા. અમે હંમેશા માટે તેમની ખોટ અનુભવીશું. ” અભિષેકે કહ્યું કે ‘કાય પો છે!’ માં તેમણે જે રીતે પોતાનો રોલ ભજવ્યો, તે ક્યારેય ભૂલી શકાય નહીં. અભિષેક કપૂરે સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ કેદારનાથમાં પણ કામ કર્યું હતું.