રેમડેસિવિરની કાળાબજારી પર ભડક્યા R. Madhavan, ‘કૃપ્યા ધ્યાન આપો, આપણી વચ્ચે રાક્ષસો પણ છે’,

દેશને જ્યારે સૌથી મોટા રોગચાળોનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આ સંકટ સમયે કેટલાક લોકો એવા છે કે જે દર્દીઓના જીવ બચાવવાને બદલે દવાઓની કાળાબજારી કરી રહ્યા છે. આવા લોકો સામે બોલિવૂડ એક્ટર આર માધવન (R Madhavan) ગુસ્સે છે.

રેમડેસિવિરની કાળાબજારી પર ભડક્યા R. Madhavan, 'કૃપ્યા ધ્યાન આપો, આપણી વચ્ચે રાક્ષસો પણ છે',
R. Madhavan
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 01, 2021 | 8:54 PM

કોરોના વાઈરસે (Coronavirus) હાહાકાર મચાવી દીધો છે. દરરોજ મોતની સંખ્યા વધી રહી છે. સતત કોરોનાનાં વધી રહેલા આંકડા હવે ડરાવી રહ્યા છે. દેશને જ્યારે સૌથી મોટા રોગચાળોનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આ સંકટ સમયે કેટલાક લોકો એવા છે કે જે દર્દીઓના જીવ બચાવવાને બદલે દવાઓની કાળાબજારી કરી રહ્યા છે. આવા લોકો સામે બોલિવૂડ એક્ટર આર માધવન (R Madhavan) ગુસ્સે છે. સોશિયલ મીડિયા પર તેમણે આવા લોકોને રાક્ષસ તરીકે વર્ણવ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કોરોના વાઈરસે (Coronavirus) તો માનો કે લોકોને લાચાર બનાવી દીધા છે. હોસ્પિટલમાં બેડ, રેમડેસિવીરના ઈન્જેક્શન અને ઓક્સિજન સિલિન્ડર સુધી લોકો સોશિયલ મીડિયા દ્વારા મદદ માંગી રહ્યા છે. આ કટોકટીમાં દવાઓ અને ઓક્સિજનની ઘણી કાળાબજાર થઈ રહી છે. બોલિવૂડ એક્ટર આર. માધવને (R Madhavan) આવા લોકોથી બચવા માટે પોતાના ચાહકોને વિનંતી કરી છે.

આર. માધવને ટ્વીટર પર પોસ્ટ કર્યું, જેમાં તેમણે લખ્યું કે- ‘મને પણ આ પ્રાપ્ત થયું. કૃપા કરીને ધ્યાનમાં રાખો. આપણી વચ્ચે આવા રાક્ષસો પણ છે. ‘પોસ્ટ શેર કરતી વખતે તેમણે લખ્યું છે- ‘ફ્રોડ એલર્ટ, લોકો સાવધ રહે. મિસ્ટર અજય અગ્રવાલ 3 હજાર રુપિયામાં રેમડેસિવીર દવા વેચી રહ્યા છે. તેઓ તમારી પાસેથી IMPS દ્વારા પૈસા અગાઉથી માંગશે કે જેથી તે પૈન ઈન્ડિયા દ્વારા 3 કલાકમાં તમારા સુધી ડિલીવરી થઈ જાય અને પછી તેઓ ફોન ઉપાડશે નહીં. આવા દગાબાજોથી સાવધ રહો. આ માણસ ફ્રોડ છે.

દેશમાં કોરોના વાઈરસના ચેપની હાલત સતત કથળી રહી છે. શનિવારે એક દિવસમાં પહેલીવાર 4 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. તે જ એક વાર ફરી 3000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. તેમાંથી, મહારાષ્ટ્રમાં 62,919 નવા કેસ સામે આવ્યા છે અને 828 લોકો સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા છે.

આ પછી, કર્ણાટકમાં 48,296, કેરળમાં 37,199, ઉત્તર પ્રદેશમાં 34,626 અને રાજધાની દિલ્હીમાં 27,047 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે નવા કેસોમાં 73.05 ટકા કેસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનથી આવી રહ્યા છે.

આ પણ વાંચો: Corona Virus: દિલ્લીમાં લોકડાઉનની મુદ્દતમાં વધારો, CM કેજરીવાલે ટ્વીટ કરીને આપી જાણકારી

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">