‘Gangubai Kathiawadi’ નાં નિર્માતાઓને રોજનું 3 લાખનું થઈ રહ્યું છે નુકસાન, હજુ આટલા દિવસોની શૂટિંગ છે બાકી

ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ 3 દિવસનું જ બાકી છે. આ એક બેકગ્રાઉન્ડ ગીત છે જે આલિયા ભટ્ટ પર ફિલ્માવાનું છે.

'Gangubai Kathiawadi' નાં નિર્માતાઓને રોજનું 3 લાખનું થઈ રહ્યું છે નુકસાન, હજુ આટલા દિવસોની શૂટિંગ છે બાકી
Alia Bhatt (Gangubai Kathiawadi)
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 16, 2021 | 4:18 PM

આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જ્યારથી ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે ચાહકોને ફિલ્મની રાહ જોવાતી નથી. પરંતુ આલિયાની ફિલ્મને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે, જેના કારણે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ રહ્યું નથી. આલિયા ભટ્ટ અગાઉ કોરોના પોઝિટિવ બની હતી અને હવે કોરોનાની બીજી લહેરને કારણે ફિલ્મનું શૂટિંગ બંધ રહ્યું છે.

અહેવાલો મુજબ આલિયાની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ 3 દિવસનું જ બાકી છે. આ એક બેકગ્રાઉન્ડ ગીત છે જે આલિયા ભટ્ટ પર ફિલ્માવાનું છે. ફિલ્મમાં આલિયા વિના લિપ્સિંકનાં ગીતો પણ છે જેનું શૂટિંગ કરવામાં આવ્યું છે. સંજય લીલા ભણશાળી ફિલ્મનું શૂટિંગ સમાપ્ત કરવામાં રોકાયેલા હતા પરંતુ શૂટિંગ રોકવામાં આવ્યું છે. જ્યા સુધી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફિલ્મ સિટીમાં આ વિશાળ સેટ લગાવેલો રહેશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

3 લાખનું રોજનું થઈ રહ્યું છે નુકસાન

અહેવાલો અનુસાર, સહ નિર્માતા સંજય લીલા ભણશાળી અને જયંતિલાલ ગઢાનું રોજનું 3 લાખ રુપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જ્યા સુધી તે ફિલ્મનું સેટ ન હટાવે. નિર્માતાઓ ફરીથી શૂટિંગ કરવાનું જોખમ નથી લઈ રહ્યા. લોકડાઉન સમાપ્ત થયા પછી તરત જ ભણશાળીએ શૂટિંગ શરૂ કરવાની ના પાડી દીધી હતી. તેમનું કહેવું છે કે જ્યા સુધી કોરોનાની બીજી લહેર પૂરી ન થાય ત્યાં સુધી તે 3 દિવસનું શૂટિંગ શરૂ કરશે નહીં.

વિવાદનો ભાગ બની ગઈ છે ફિલ્મ

સંજય લીલા ભણશાળીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી તેની રિલીઝ પહેલા જ વિવાદનો ભાગ બની ચૂકી છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારથી તે અનેક વિવાદોનો ભોગ બની ચુકી છે. ટીઝર રિલીઝ થયા બાદ લોકોએ કહ્યું કે ફિલ્મ દ્વારા કમાઠીપુરાના 200 વર્ષ જુના ઇતિહાસને બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકો કહે છે કે તે અપમાનજનક, શર્મજનક છે અને કમાઠીપુરાના રહેવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.

ફિલ્મની વાત કરવામાં આવે તો તેમાં અજય દેવગન પણ જોવા મળશે. તે ગેસ્ટ અપીરિયંસની ભૂમિકામાં જોવા મળશે. અજયે તેમનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મ 30 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થવાની છે. હવે બહાર આવતા અહેવાલો અનુસાર, આલિયાની ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર પણ રિલીઝ થઈ શકે છે, જોકે મેકર્સએ હજી સુધી કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">