તબિયત ખરાબ છતાં ટીવી પર કમબેક, જાણો પ્રતિજ્ઞાના ‘સજ્જન સિંહે’ શું કહ્યું સિરિયલના ભાગ 2 વિશે

ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના રહેવાસી ટીવી કલાકાર અનુપમ શ્યામ ઓઝા ગત વર્ષે ગંભીર બીમારીથી ગ્રસ્ત હતા. કિડનીના ચેપને કારણે અનુપમ શ્યામ ઓઝાની હાલત ગંભીર હતી.

તબિયત ખરાબ છતાં ટીવી પર કમબેક, જાણો પ્રતિજ્ઞાના 'સજ્જન સિંહે' શું કહ્યું સિરિયલના ભાગ 2 વિશે
Anupam Shyam Ojha
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 16, 2021 | 4:08 PM

ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના રહેવાસી ટીવી કલાકાર અનુપમ શ્યામ ઓઝા ગત વર્ષે ગંભીર બીમારીથી ગ્રસ્ત હતા. કિડનીના ચેપને કારણે અનુપમ શ્યામ ઓઝાની હાલત ગંભીર હતી. જો કે અનુપમની હાલત હવે સારી છે. તેઓ પ્રતિજ્ઞાઞા સિઝન 2 સાથે ટીવી પર કમબેક કરી રહ્યા છે. અનુપમ પ્રતિજ્ઞા સિઝન 1માં સજ્જન સિંહની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

એક મીડિયા હાઉસને અપાયેલા ઈન્ટરવ્યુમાં અનુપમ શ્યામે તેમની તબિયત અને શો વિશે માહિતી આપી હતી. અનુપમે કહ્યું, ‘હું અઠવાડિયામાં 3 વાર ડાયાલિસિસ કરાવું છું પણ અત્યારે મારી તબિયત બરાબર છે અને જેને કામ કરવું છે, તે કોઈ પણ રીતે મેનેજ કરી લે છે. હવે કંઈપણ થઈ જાય મેનેજ તો કરવું પડશેને! અમારો પ્રિય શો છે પ્રતિજ્ઞા જેના ભાગ 2માં હું ફેન્સને નારાજ ના કરી શકું. હું ડાયાબિટીસનો દર્દી છું, તેથી જ્યારે હું બીમાર હતો, ત્યારે ઘણી સમસ્યા હતી પણ હવે હું ઠીક છું.’

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

પ્રતિજ્ઞા સિઝન 2થી પાછા ફર્યા બાદ અનુપમે કહ્યું, ‘એવું લાગે છે કે સિરિયલ બંધ થઈ જ નથી. તે ઘણા વર્ષોથી ચાલે છે. ફક્ત થોડી નવી વાર્તા ઉમેરવામાં આવી છે અને હું મારા ફેન્સનો આભાર માનું છું કે તેઓએ અમને ખૂબ પ્રેમ આપ્યો. તેમના પ્રેમને કારણે પ્રતિજ્ઞા સિરિયલ ફરી પાછી આવી રહી છે.’ આ સિઝનમાં સજ્જન સિંહના પાત્ર વિશે વાત કરતાં અનુપમે કહ્યું હતું કે, ‘આ વખતે મારા પાત્રમાં પરિવર્તન આવ્યું છે. હવે શોમાં મારા પૌત્રો આવી ગયા છે અને સજ્જન સિંહ તેમના આગમન પછી કૂલ થઈને ચાલશે. પરંતુ જો સજ્જન સિંહને રોદ્ર સ્વરૂપ બતાવવું પડે તો તે ફેન્સ માટે બતાવશે. તેના બાળકો અને પૌત્રોના મોહમાં હવે તેની પરિસ્થિતિ સાથે વ્યવહાર કરવાની તેમની શૈલી અલગ થઈ ગઈ છે.’

આ પણ વાંચો: રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી, ડ્રગ કેસમાં જામીનના નિર્ણયને NCBએ સુપ્રીમમાં પડકાર્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">