Bollywood News : સ્વરા ભાસ્કરના બાળક દત્તક લેવા પર ભડક્યા લોકો, સોશિયલ મીડિયા પર કરી આ કોમેન્ટ
સ્વરાએ ખુલાસો કર્યો કે બાળક દત્તક લેવાના નિર્ણય પછી લોકો તેને સામાન્ય પ્રશ્નો પૂછી રહ્યા છે. તેણે કહ્યું કે લોકો મને કહે છે કે ઓહ તું હવે લગ્ન નહીં કરે અથવા તમારી સાથે કોણ લગ્ન કરશે?
બોલિવૂડ (Bollywood) અભિનેત્રી સ્વરા ભાસ્કર (Swara Bhaskar) તેની અદભુત શૈલી માટે જાણીતી છે. અભિનેત્રી દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપે છે, જેના કારણે તે હેડલાઇન્સમાં રહે છે. અભિનેત્રીએ થોડા દિવસો પહેલા ખુલાસો કર્યો હતો કે તે એક બાળકને દત્તક લેવા માંગે છે. રિપોર્ટ અનુસાર, અભિનેત્રીએ પોતાનું નામ સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (CARA) પાસે પ્રોસ્પેક્ટિવ એડોપ્ટિવ પેરેન્ટ (PAP) તરીકે નોંધાવ્યું છે.
સ્વરાએ પોતાના નિર્ણય અને પ્રક્રિયા વિશે વાત કરી છે. અભિનેત્રીએ હાલમાં જ તેના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મારા બાળકને દત્તક લેવાના નિર્ણય બાદ લોકો મારી સાથે લગ્ન કોણ કરશે તેની ચિંતામાં છે.
એક મીડિયા કંપની સાથે વાત કરતા સ્વરાએ કહ્યું, “આ સ્ટેજની પ્રારંભિક પ્રક્રિયા છે કારણ કે આ પ્રક્રિયા ઘણી લાંબી છે. તે ખૂબ સમય લે છે. મને લાગે છે કે તે એટલા માટે પણ છે કારણ કે રાજ્ય અને CARA ખૂબ જ કાળજીપૂર્વક નક્કી કરે છે કે જે માતાપિતાને બાળક આપવામાં આવી રહ્યા છે તેઓ તેમની સંભાળ લઇ શકશે કે કેમ, તેઓ ચકાસે છે કે બાળકોને સાચો પ્રેમ અને રક્ષણ આપી શક્શે કે નહી.”
સ્વરાએ ખુલાસો કર્યો કે બાળક દત્તક લેવાના નિર્ણય પછી લોકો તેને સામાન્ય પ્રશ્નો પૂછી રહ્યા છે. તેણે કહ્યું કે લોકો મને કહે છે કે ઓહ તું હવે લગ્ન નહીં કરે અથવા તમારી સાથે કોણ લગ્ન કરશે? પરંતુ મારે કહેવું છે કે મારા માતા-પિતા, ભાઈ, ભાભી અને નજીકના મિત્રોએ મારા નિર્ણયનું સન્માન કર્યું અને સમર્થન કર્યું. અગાઉ રવિના ટંડન અને સુષ્મિતા સેને પણ સિંગલ રહીને બાળકોને દત્તક લીધા હતા. અભિનેત્રીએ કહ્યું, હું જાણું છું કે સિંગલ મધર બનવું એક મોટું પગલું છે. બાળક દત્તક લેવાના સમાચાર સાથે તેની સરખામણી સુષ્મિતા અને રવિના ટંડન સાથે કરવામાં આવી હતી.
અભિનેત્રીએ વધુમાં કહ્યું કે તે આ ખુશીની આતુરતાથી રાહ જોઈ રહી છે. વર્ક ફ્રન્ટ પર, અભિનેત્રી છેલ્લે રસભરી, ભાગ બીની ભાગ સહિત ઘણા OTT પ્રોજેક્ટ્સમાં જોવા મળી હતી. અભિનેત્રી તેની આગામી મર્ડર મિસ્ટ્રી મીમાંસામાં ફરી એકવાર તપાસ અધિકારીની ભૂમિકા ભજવતી જોવા મળશે.
આ પણ વાંચો –
ઓમિક્રોન વેરિઅન્ટે ચિંતા વધારી, કેન્દ્રએ એલર્ટ જારી કર્યું, રાજ્ય સરકારોએ રોગચાળાને અંકુશમાં લેવા માટે ઘણાં નક્કર પગલાં લીધાં
આ પણ વાંચો –
BJP Mission-2022: ઉત્તરાખંડના દેહરાદૂનમાં આજે PM મોદીની સંકલ્પ રેલી, વિધાનસભા ચૂંટણી માટે ભાજપ કરશે શંખનાદ
આ પણ વાંચો –