Ramayan એકવાર ફરી જોવાની તક, ટૂંક સમયમાં આવશે ટીવી પર

રામાયણ હવે આ ગુરુવારથી કલર્સ ચેનલ પર પ્રસારિત થશે રામાયણ પ્રભુ શ્રીરામની જીવનચરિત્રથી પ્રેરિત છે. તે અનેક એપિસોડમાં બનાવવામાં આવી હતી.

Ramayan એકવાર ફરી જોવાની તક, ટૂંક સમયમાં આવશે ટીવી પર
Ramayan
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 08, 2021 | 2:20 PM

રામાનંદ સાગરની લોકપ્રિય ગાથા રામાયણ ફરી એકવાર ટેલિવિઝન પર આવી રહી છે. 1987 માં રામાયણ દૂરદર્શન પર રજૂ કરવામાં આવી હતી અને તે પાછલા લોકડાઉનમાં દૂરદર્શન પર ફરીથી બતાવવામાં આવી હતી. ત્યારબાદ તેણે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા.

રામાયણ ગાથાના કલાકારો આખા ભારતમાં લોકપ્રિય છે. અરુણ ગોવિલે પ્રભુ શ્રીરામની ભૂમિકા ભજવી હતી, દીપિકા ચિખલીયાએ માતા સીતાની ભૂમિકા ભજવી હતી અને સુનિલ લાહિરીએ લક્ષ્મણની ભૂમિકા ભજવી હતી. અરવિંદ ત્રિવેદીએ રાવણ અને દારા સિંહે હનુમાનની ભૂમિકા ભજવી હતી. લોકો આજે પણ આ ગાથાને જોવાનું પસંદ કરે છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

રામાયણ હવે આ ગુરુવારથી કલર્સ ચેનલ પર દેખાશે. રામાયણ પ્રભુ શ્રીરામની જીવનચરિત્રથી પ્રેરિત છે. તે અનેક એપિસોડમાં બનાવવામાં આવી છે. જોકે, 2020 માં આને ટૂંકું કરવામાં આવ્યું હતું. આમ છતાં આની લોકપ્રિયતામાં કોઈ કમી આવી નથી. હવે આને ધ્યાનમાં રાખીને, કલર્સ ચેનલે ફરી એકવાર રામાયણને ટીવી પર લાવવાનો નિર્ણય લીધો છે.

અરૂણ ગોવિલ અને દીપિકા ચિખલીયા આજે પણ ખૂબ જ પ્રખ્યાત છે અને તેઓ લોકોના દિમાગ પર એક અમિટ છાપ છોડી ચુક્યા છે.

અરુણ ગોવિલે ઘણા શોમાં કામ કર્યું છે, જ્યારે દીપિકા ચિખલીયાએ કેટલીક ફિલ્મોમાં પણ ભૂમિકાઓ ભજવી છે ત્રણેયએ રામાયણની વિશેષતા વર્ણવી હતી. આ સાથે તેમાંથી ઘણું શીખવાની વાત પણ કરવામાં આવી હતી. રામાયણ રામાનંદ સાગરે ખૂબ વિગતવારથી બનાવી છે. તેના દરેક પાત્રોને જીવંત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આને કારણે, દરેક વ્યક્તિ તેને ખૂબ જ પસંદ કરે છે.

1987 નાં સમયમાં, આ શો એટલો પસંદ કરવામાં આવ્યો હતો કે જ્યારે તે પ્રસારિત થાય છે ત્યારે રસ્તા પર અઘોષિત કરફ્યુ લાગી જતો અને દરેક લોકો તેને ખૂબ જ ઉત્સાહથી જોતા હતા. રામાયણના કારણે લોકોએ પણ ઘણાં સંસ્કારો વિકસાવ્યા હતા. ત્રણેય કલાકારો હજી પણ સોશિયલ મીડિયા પર સક્રિય છે અને તેઓ સામાજિક વિષયો વિશે વાત કરે છે તેમની પોસ્ટ્સ વાયરલ થતી હોય છે. તેઓ ઘણીવાર તેમના પ્રશંસકો સાથે વાતચીત કરે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">