Online Leaked: જોન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ થઈ ઓનલાઈન લીક, થશે મોટું નુકસાન

જોન અબ્રાહમ (John Abraham) અને દિવ્યા ખોસલા કુમાર (Divya Khosla Kumar) અભિનીત ફિલ્મ સત્યમેવ જયતે 2ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ રાહ હવે પૂરી થઈ ગઈ છે અને આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.

Online Leaked: જોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે 2' થઈ ઓનલાઈન લીક, થશે મોટું નુકસાન
John Abraham's film 'Satyamev Jayate 2'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 8:50 PM

જોન અબ્રાહમ (John Abraham) અને દિવ્યા ખોસલા કુમાર (Divya Khosla Kumar) અભિનીત ફિલ્મ સત્યમેવ જયતે 2ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ રાહ હવે પૂરી થઈ ગઈ છે અને આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. સત્યમેવ જયતે 2 ગુરુવારે રિલીઝ થઈ છે અને રિલીઝ થયા પછી જ તે પાઈરેસીનો શિકાર બની છે.

ફિલ્મમાં જ્હોન અબ્રાહમ ટ્રિપલ રોલમાં જોવા મળ્યો છે. ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જ્હોનની એક્શનની સાથે દિવ્યાની એક્ટિંગના પણ વખાણ થઈ રહ્યા છે. પરંતુ ઓનલાઈન લીક થવાના કારણે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનને અસર થવાની છે.

થશે ભારે નુકસાન

સત્યમેવ જયતે 2ની HD પ્રિન્ટ પાઈરેસી સાઈટ પર લીક થઈ ગઈ છે. જેને ઘણા લોકો જોઈ અને ડાઉનલોડ કરી રહ્યા છે. આનાથી ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર ભારે અસર પડશે. આ ફિલ્મ પહેલાથી જ થિયેટરોમાં સલમાન ખાનની અંતિમનો સામનો કરી રહી છે અને હવે ઓનલાઈન લીક થવાને કારણે તેને ડબલ નુકશાન થવા જઈ રહ્યું છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

તમને જણાવી દઈએ કે સત્યમેવ જયતે 2 પહેલી ફિલ્મ નથી જે ઓનલાઈન લીક થઈ હોય. આ પહેલા પણ બેલ બોટમ, સૂર્યવંશી, બંટી અને બબલી 2 જેવી ઘણી ફિલ્મો પાયરસીનો શિકાર બની ચૂકી છે.

પહેલા દિવસે આટલા કરોડની કમાણી કરી લીધી

જ્હોનની ફિલ્મનો જાદુ બોક્સ ઓફિસ પર જોવા મળી રહ્યો નથી. માનવામાં આવી રહ્યું હતું કે, આ ફિલ્મ પહેલા દિવસે 8 કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ કરી શકે છે. પરંતુ ફિલ્મ એ અપેક્ષા પૂરી કરી શકી નથી. ફિલ્મે પહેલા દિવસે 3.60 કરોડનો બિઝનેસ કર્યો છે. આ બિઝનેસ બીજા દિવસે વધી શકે છે.

સત્યમેવ જયતે 2 નું નિર્દેશન મિલાપ ઝવેરી દ્વારા કરવામાં આવ્યું છે અને ટી-સિરીઝ દ્વારા નિર્મિત છે. ફિલ્મમાં જ્હોન અબ્રાહમ દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવાની લડાઈ લડતો જોવા મળે છે. ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.

આ પણ વાંચો: UGC NET Admit Card 2021: 29 નવેમ્બરથી યોજાનારી UGC NET પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા, આ રીતે કરો ડાઉનલોડ

આ પણ વાંચો: BPNL Recruitment 2021: ભારતના પશુપાલન નિગમ લિમિટેડમાં બમ્પર વેકેન્સી, 30 નવેમ્બર સુધીમાં કરો અરજી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">