Nayanthara Vignesh Wedding : નયનતારા-વિગ્નેશે મહાબલીપુરમમાં લીધા 7 ફેરા, SRK થી લઈ સુપરસ્ટાર રજનીકાંત થયા સામેલ
Nayanthara Wedding : કહેવામાં આવી રહ્યું છે કે હવે નયનતારા (Nayanthara) અને વિગ્રેશ રિસેપ્શન પાર્ટી પણ આપશે જે 10 જૂને રાખવામાં આવી છે. આ રિસેપ્શનમાં સાઉથ ઈન્ડસ્ટ્રી સહિત બોલિવૂડના ઘણા સેલેબ્સ પણ હાજરી આપશે.
Nayanthara Wedding : દક્ષિણ અભિનેત્રી નયનતારા (Nayanthara) અને બોયફ્રેન્ડ ડિરેક્ટર વિગ્નેશ શિવન આજે એટલે કે 9 જૂને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. નયનતારાના લગ્ન ચેન્નાઈ નજીક મહાબલીપુરમમાં થયા હતા. અહીં એક રિસોર્ટ બુક કરવામાં આવ્યો છે, જ્યાં અભિનેત્રીના લગ્ન ધામધૂમથી કરવામાં આવી રહ્યા છે ( Wedding Reception Party) કહેવામાં આવી રહ્યું છે કે હવે નયનતારા અને વિગ્રેશ લગ્નની રિસેપ્શન પાર્ટી પણ આપશે જે 10 જૂને રાખવામાં આવી છે. આ રિસેપ્શનમાં સાઉથ ઈન્ડસ્ટ્રી સહિત બોલિવૂડના ઘણા સેલેબ્સ પણ હાજરી આપશે. રિપોર્ટ્સ અનુસાર, નયનતારા અને વિગ્નેશના લગ્નના ગેસ્ટ લિસ્ટમાં મોટા સ્ટાર્સના નામ સામેલ છે.
Now she’s officially the Marumagal of Tamil Nadu❤️❤️#Nayantharawedding #NayantharaVigneshShivan pic.twitter.com/xOHhoLxcgP
— Nayan_my_world¹⁷ʸᵉᵃʳˢᴼᶠᴺᵃʸᵃⁿᶦˢᵐ (@NayantharaFanC1) June 9, 2022
એવું કહેવામાં આવી રહ્યું છે કે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનથી લઈને સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને આમંત્રણ કાર્ડ મોકલવામાં આવ્યા હતા. શાહરૂખ અને નયનતારા ટૂંક સમયમાં એક ફિલ્મમાં સાથે જોવા મળવાના છે. શાહરૂખ ખાને હાલમાં જ તેની આગામી ફિલ્મ ‘જવાન’ની જાહેરાત કરી છે, આ ફિલ્મમાં નયનતારા પણ શાહરૂખ ખાન સાથે હશે.
નયનતારાની પહેલી તસવીર સામે આવી
Here is the Wedding invitation of #Nayanthara and @VigneshShivN. #Nayantharawedding #VigneshShivan #WikkyNayan pic.twitter.com/IlCZM8Q7hM
— jeanpierre (@Jeanpie77) June 7, 2022
એક ઈન્ટરવ્યુ દરમિયાન વિગ્નેશે કહ્યું હતું કે તે નયનતારા સાથે તિરુપતિમાં લગ્ન કરશે. પરંતુ બાદમાં આ પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, પરિવાર અને અન્ય ખાસ મિત્રોને તિરુપતિ સાથે લઈ જઈ શકાયા નથી. જે બાદ સ્થળ બદલવું પડ્યું હતું.તમને જણાવી દઈએ કે, નયનતારા અને વિગ્નેશે પહેલીવાર વર્ષ 2015માં આ ફિલ્મ દ્વારા સાથે કામ કર્યું હતું.
7 જૂને વિગ્નેશે ચેન્નાઈમાં પ્રી-વેડિંગ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં નયનતારા અને વિગ્નેશે તેમના ચાહકો સાથે શેર કર્યું હતું કે તે બંને 9 જૂને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ બંને વિગ્નેશે જણાવ્યું હતું કે તે અને નયનતારા તેમના લગ્ન તિરુપતિમાં થાય તેવું ઈચ્છતા હતા, પરંતુ કોઈ કારણસર તેઓએ લગ્નનું સ્થળ બદલવું પડ્યું હતું. એટલું જ નહીં, વિગ્નેશે આ અવસર પર મીડિયાના લોકોનો પણ આભાર માન્યો કે તેણે આટલા લાંબા સમય સુધી ફિલ્મમેકર તરીકે તેને સપોર્ટ કર્યો.