Manoj Bajpai થયા કોવિડ પોઝિટિવ, અટકી ગયું ફિલ્મનું શૂટિંગ
મનોજ બાજપેયીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. ત્યારબાદ, ફિલ્મનું શૂટિંગ થોડા મહિનાઓ માટે અટકી ગયું છે.
મનોજ બાજપેયીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. ત્યારબાદ, ફિલ્મનું શૂટિંગ થોડા મહિનાઓ માટે અટકી ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મના નિર્દેશક કનુ બહલને પહેલા કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણ દિવસ પહેલા મનોજ બાજપેયી એ તપાસ કરાવી હતી, જેનો રિપોર્ટ શુક્રવારે આવ્યો હતો અને તેઓ પોઝિટિવ જોવા મળ્યા હતા. તેઓએ પોતાને ઘરે કવોરન્ટાઈન કરી લીધા છે. તેઓ તમામ પ્રકારની સાવચેતી રાખીને દવાઓ લઈ રહ્યા છે. તેમની તબિયત ઝડપથી સુધરી રહી છે.
‘ડિસ્પેચ’ નું 20-25 દિવસનું શૂટિંગ બાકી છે
મનોજ બાજપેયીના નજીકના લોકોએ કહ્યું કે, તેઓ 20-25 દિવસથી ‘ડિસ્પેચ’ માટે શૂટિંગ કરી રહ્યા હતા. હજુ 20-25 દિવસનું શૂટિંગ બાકી છે. હમણાં સુધી ફિલ્મના શૂટિંગ મુંબઈના જુદા-જુદા વિસ્તારમાં કરવામાં આવી રહ્યું હતું. આગામી દિવસોમાં આ ફિલ્મનું શૂટિંગ દિલ્હી અને પછી લંડનમાં થવાનું હતું. હાલના સંજોગોને જોતા લંડનના શેડ્યૂલ પર તલવાર લટકતી હોય તેવું લાગે છે. મનોજ આ ફિલ્મમાં પત્રકારના રોલમાં છે. ફિલ્મની વાર્તા વર્તમાન યુગમાં વિવિધ મીડિયાના અલગ અલગ સ્ટેન્ડ પર આધારિત છે.
અહીં, ટીવી એક્ટર મયુર વાકાણીને ચેપ લાગ્યો
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના સુંદરલાલ એટલે કે, અભિનેતા મયુર વાકાણીને કોરોના ચેપ લાગ્યો છે. એક વાતચીતમાં મયૂરે કહ્યું કે, તે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા છે.