MUMBAI : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ Amitabh Bachchan ના ઘર બહાર પોસ્ટર લગાવી કર્યો વિરોધ, જાણો શું છે કારણ
BIG B Show Big Heart : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ અમિતાભ બચ્ચનના ઘર બહાર પોસ્ટર લગાવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે "બીગ બી તમારું મોટું હૃદય બતાવો". અંધેરી પશ્ચિમના મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા મહેશ ધુરીએ આ પોસ્ટર લગાવ્યા છે.
MUMBAI : બોલીવુડના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ના ઘર ‘પ્રતીક્ષા’ બંગલો બહાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ પોસ્ટર લગાવી બીગ-બીનો વિરોધ કર્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ અમિતાભ બચ્ચનના ઘર બહાર પોસ્ટર લગાવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે BIG B Show Big Heart “બીગ બી તમારું મોટું હૃદય બતાવો”. અંધેરી પશ્ચિમના મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા મહેશ ધુરીએ આ પોસ્ટર લગાવ્યા છે.અંધેરી પશ્ચિમના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (Maharashtra Navnirman Sena) ના નેતા મહેશ ધુરીએ આ પોસ્ટર લગાવ્યા છે. આવો જાણીએ આ વિરોધ પાછળનું કારણ શું છે ?
અમિતાભની ‘દિવાર’ બની વિરોધનું કારણ હકીકતમાં અમિતાભના ઘર બહાર થયેલા આ વિરોધનું કારણ અમિતાભની ‘દિવાર’ છે, આ તેમના ફિલ્મ નહિ પણ તેમના બંગલાની એક દીવાલને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. સંત જ્ઞાનેશ્વર માર્ગ પર આવેલા અમિતાભના પ્રતીક્ષા બંગલોથી થઈને જતો રોડ BMC દ્વારા પહોળો કરવામાં આવી રાહ્યો છે અને આમાં પ્રતીક્ષા બંગલોની એક દીવાલને તોડવી પડે એમ છે.પરંતુ આના માટે અમિતાભ બચ્ચન તરફથી BMC ને સહકાર મળી રહ્યો નથી, જેને લઈને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ વિરોધ કર્યો છે.
2017માં નોટીસ અપાઈ, હજી સુધી કોઈ જવાબ નથી આપ્યો અમિતાભ બચ્ચનના ઘરની સામે દરરોજ ટ્રાફિક જામ રહે છે. તેથી BMC અમિતાભના બંગલાની બાજુના માર્ગને 60 ફૂટ સુધી પહોળો કરવા માંગે છે, હાલમાં આ રસ્તાની પહોળાઈ 45 ફૂટ છે. આ અગાઉ વર્ષ 2017 માં BMC એ અમિતાભ બચ્ચનને નોટિસ મોકલી હતી, પરંતુ બિગ-બીએ આ નોટિસનો હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી.
BMC એ તોડ્યો કે.વી. સત્યમૂર્તિનો બંગલો આ રસ્તા પહોળા કરવાના કામમાં બે બંગલા આડા આવી રહ્યા છે. એક અમિતાભ બચ્ચનનો પ્રતીક્ષા બંગલો, અને બીજો ઉદ્યોગપતિ કે.વી. સત્યમૂર્તિનો બંગલો. સત્યમૂર્તિના બંગલાનો મોટો ભાગ રસ્તો પહોળો કરવામાં અડચણરૂપ બન્યો છે. BMC એ તેમણે નોટીસ આપી હતી, જેને તેઓએ સ્થાનિક કોર્ટમાં પડકારી હતી. કોર્ટે સ્ટે આપતા BMC એ કામ રોકવું પડ્યું હતું. ગયા વર્ષે કોર્ટે સ્ટે હટાવી લેતા BMCએ ઉદ્યોગપતિ કે.વી. સત્યમૂર્તિના બંગલાનો એ ભાગ તોડી નાખ્યો. પરંતુ અમિતાભનો બંગલો હજી સુધી આપ્યો નથી.
આ પણ વાંચો : Gandhinagar : જુઓ ગાંધીનગરના અત્યાધુનિક રેલ્વે સ્ટેશન અને ફાઈવ સ્ટાર હોટેલના રસપ્રદ PHOTOS