Koffee With Karan : ‘કોફી વિથ કરણ’ના ચાહકો માટે ખરાબ સમાચાર, નેટિઝન્સ થયા ખુશખુશાલ
કરણ જોહર (Karan Johar) દ્વારા હોસ્ટ કરવામાં આવેલા લોકપ્રિય ટોક શો કોફી વિથ કરણમાં ઘણી સેલિબ્રિટીઓએ ભાગ લીધો હતો. આ શોની 6 સીઝન આવી ચૂકી છે અને ચાહકો ઘણા સમયથી 7મી સીઝનની રાહ જોઈ રહ્યા હતા.
ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ચર્ચા હતી કે, ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar) તેના બહુચર્ચિત શો ‘કોફી વિથ કરણ’થી (Koffee With Karan) ફરી એકવાર કમબેક કરી રહ્યો છે. જો કે, હવે જે સમાચાર સામે આવ્યા છે તે કરણ જોહર અને તેના લોકપ્રિય ટોક શો ‘કોફી વિથ કરણ’ના ચાહકોને ચોંકાવી શકે છે. આજે સવારે કરણ જોહરે જાહેરાત કરી છે કે, તેનો સેલિબ્રિટી ચેટ શો ‘કોફી વિથ કરણ’ ક્યારેય સ્ક્રીન પર પરત નહીં આવે. આ વાતની પુષ્ટિ કરણ જોહરે આજે પોતાના એક ટ્વિટ (Viral Tweet) દ્વારા કરી છે.
Finally cancer band ho gaya !
— Jatan Kumar🇵🇰 (@IamJK45) May 4, 2022
જેમાં અત્યારે ચાહકોનું દુઃખ અને એકતરફ નેટિઝન્સ ખુબ જ ખુશ જોવા મળ્યા છે. કરણ જોહરે આજે તેના ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી, ”જેના કેપ્શનમાં તેણે લખ્યું – મહત્વપૂર્ણ જાહેરાત…. મને લાગે છે કે અમે પ્રભાવ પાડ્યો છે અને પોપ કલ્ચર ઈતિહાસમાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન પણ બનાવ્યું છે. હું ભારે હૃદય સાથે જાહેર કરું છું કે કોફી વિથ કરણ ક્યારેય પાછી નહીં આવે.”
કરણ જોહરનું ટ્વિટ અહીંયા જુઓ
IMPORTANT ANNOUNCEMENT pic.twitter.com/FfVbIe1wWO
— Karan Johar (@karanjohar) May 4, 2022
કરણ જોહરની કોફી વિથ કરણ વિશે કરવામાં આવેલી નવી જાહેરાત પછી, કરણના અને તેના ટોક શોના ચાહકો થોડા નિરાશ થયા છે. કરણ જોહરના ચાહકો ઈચ્છે છે કે તે આ શો ફરી શરૂ કરે, જેથી તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગૉસિપ અને તેના ફેવરિટ સ્ટાર્સ વિશે વધુ જાણવાનો મોકો મળે.
— KL Rahul (@musafir_hu_yar) May 4, 2022
એક તરફ, કોફી વિથ કરણ બંધ થવાને કારણે કરણ જોહરના ચાહકો નિરાશ છે. બીજી તરફ, અત્યારે ઇન્ટરનેટ પર એક વર્ગ એવો છે, કે જે આ ટોક શો બંધ થવાથી ઘણો જ ખુશ થયો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે કરણ જોહરને તેના ટ્વીટના જવાબ માટે આભાર માન્યો છે કારણ કે તેણે આખરે આ સેલિબ્રિટી ચેટ શોને બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
Then how will you promote your kids Arjun Kapoor, Alia, Ranveer, Ranbir, Varun and Shraddha. It is the only program that makes 90% of current bollywood stars relevant.
— Liberandu 🇺🇸 (@vitalsigns_era) May 4, 2022
કરણ જોહરનો ટોક શો બંધ થવાથી સોશિયલ મીડિયા યુઝર્સ ખુશ છે
એક યુઝરે કરણ જોહરની પોસ્ટ જેવી જ એક પોસ્ટ બનાવી અને તેના પર લખ્યું કે, ”કોફી વિથ કરણ મારા જીવનનો સૌથી ખરાબ ભાગ હતો. હું તમામ ચાહકોનો આભાર માનું છું, જેમની મદદથી આ ખરાબ શો બંધ થયો. હું આશા રાખું છું કે તે ક્યારેય પાછો નહીં આવે.”
😂😂😂😂 we all know who is the most happiest person right now Hardik and Rahul 😂😂😂
— PHENOMENAL (@umangkchaudhary) May 4, 2022
એક યુઝરે કરણ જોહરને ઘેરીને બોલિવૂડની બીજી ઘણી હસ્તીઓને પણ નિશાન બનાવી છે. આ યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, હવે તમે તમારા વહાલા બાળકો જેમ કે અર્જુન કપૂર, આલિયા, રણબીર, વરુણ અને શ્રદ્ધાને કેવી રીતે પ્રમોટ કરશો. આ એકમાત્ર પ્રોગ્રામ છે જે વર્તમાન 90 ટકા બોલિવૂડ સ્ટાર્સને ચર્ચામાં લઈ આવે છે.