Kaun Banega Crorepati 12: ધમાકેદાર હશે ગ્રાન્ડ ફિનાલે, કારગીલ વોર હીરો જગાવશે દેશભક્તિ
સોની ટીવીનો ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ સીઝન 12 સમાપ્ત થવા જઈ રહ્યો છે. શોનો છેલ્લો એપિસોડ 22 જાન્યુઆરીએ ટેલિકાસ્ટ કરાશે.
સોની ટીવીનો ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ સીઝન 12 સમાપ્ત થવા જઈ રહ્યો છે. શોનો છેલ્લો એપિસોડ 22 જાન્યુઆરીએ ટેલિકાસ્ટ કરાશે. અમિતાભ બચ્ચન કેબીસીના ગ્રાન્ડ ફિનાલેમાં કારગિલ હીરોઝનું સ્વાગત કરતા જોવા મળશે. આ એપિસોડમાં પરમવીર ચક્ર વિજેતા સુબેદાર મેજર યોગેન્દ્રસિંહ યાદવ અને સુબેદાર સંજય સિંહ આવશે. આ એપિસોડ દેશભક્તિ અને જુસ્સાથી ભરેલો હશે. સોની ટીવીએ કૌન બનેગા કરોડપતિના ગ્રાન્ડ ફિનાલેનો પ્રોમો પણ શેર કર્યો છે.
આ પ્રોમો આર્મી ડે નિમિત્તે શેર કરવામાં આવ્યો હતો, જેમાં સૈનિકો તેમના ડ્રેસમાં સ્ટુડિયોમાં પરેડ કરતા જોવા મળે છે. કેબીસીની આખી સીઝન પ્રેરણાદાયી વાર્તાઓથી ભરેલી છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં આ શોના શૂટિંગના અંત વિશે માહિતી આપી હતી.
કેબીસીનું શૂટિંગ પૂર્ણ કરવાની માહિતી આપતાં અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર લખ્યું કે, હું થાકી ગયો છું. કેબીસીના અંતિમ દિવસ માટે શૂટિંગનો ખૂબ જ લાંબો દિવસ… પરંતુ યાદ રાખો, કામ કામ છે અને તે સંપૂર્ણ પ્રામાણિકતા સાથે થવું જોઈએ. પ્રેમ, સંભાળ, સ્નેહ અને પ્રશંસા આ ઇશારા માટે આખી ટીમનો ખૂબ આભાર. આગળ વધવાનો સમય. ભાવનાત્મક ક્ષણ, પરંતુ આવતીકાલે બીજો દિવસ છે.
એવું કહેવામાં આવે છે કે પરિવર્તન એ આ વિશ્વનો નિયમ છે. ઘણીવાર આ પરિવર્તન આપણી પોતાની મરજીથી થાય છે, પરંતુ આ વખતે કોરોના રોગચાળાને લીધે મજબૂરી હેઠળ લોકોના જીવનમાં ઘણા ફેરફારો આવ્યા છે. ભલે ગમે તેટલા પરિવર્તન આવે, જીવન ક્યારેય અટકતુંં નથી. આ સાથે કેબીસીએ પણ શાનદાર શરૂઆત કરી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાન: સરકારના વિરોધમાં પ્રદર્શન, કેમ જોવા મળ્યા લોકોના હાથમાં PM MODIના પોસ્ટર?