Kangana એ દિલજીતને કહ્યું લોકલ ક્રાંતિકારી, Diljit Dosanjhએ કર્યો પલટવાર
ગત વર્ષના અંતમાં સોશિયલ મીડિયા પર દિલજીત દોસાંઝ અને કંગના રાનાઉત વચ્ચે ટ્વિટર પર ઘણી ચર્ચા થઈ હતી અને આ વર્ષના પહેલા મહિનામાં જ બંને શાંત થયા નથી
ગત વર્ષના અંતમાં સોશિયલ મીડિયા પર દિલજીત દોસાંઝ અને કંગના રાનાઉત વચ્ચે ટ્વિટર પર ઘણી ચર્ચા થઈ હતી અને આ વર્ષના પહેલા મહિનામાં જ બંને શાંત થયા નથી. કંગના અને દિલજીત સોશિયલ મીડિયા પર અવારનવાર એકબીજાને ટોણા મારતા હોય છે. હવે તાજેતરમાં જ દિલજીતે તેની વેકેશનના કેટલાક ફોટા શેર કર્યા છે, જેના પર કંગનાએ ફરીથી તેને ટોણો માર્યો છે. જોકે દિલજીતે તેનો જવાબ પણ આપ્યો છે.
કંગનાએ દિલજીતની વેકેશનનો ફોટો શેર કર્યો અને લખ્યું, “વાહ ભાઈ … લોકલ ક્રાંતિકારી દેશને આગ ચાંપી, ખેડુતોને રસ્તા પર બેસાડીને ઠંડીનો આનંદ માણી રહ્યા છે. વાહ! આને લોકલ ક્રાંતિકારી કહેવામાં આવે.
https://twitter.com/KanganaTeam/status/1346062198167142400
તેના જવાબમાં દિલજીતે લખ્યું કે, ‘તમને તમારા વિશે ઘણી ગેરસમજો છે અને એવું વિચારશો નહીં કે તમે જે કર્યું તે પંજાબી ભૂલી ગયું છે. અમે તમને જલ્દી જ અમારો જવાબ આપીશું. ‘
Kisaan Neyane Ni Ke Tere Mere Wargeya De Kehn Te Sadkan Te Beh Jaan Ge..
Vaise Tainu Bulekha Zyada aa Apne Barey..
PUNJAB NAAL C.. HAAN .. Te Raha Ge..
Tu v Hatdi Ni Sara Din Mainu Hee Dekhdi Rehni an..
Ah Jawab V Leyna Tere Ton Haley PUNJABI’AN Ne.. MATT Sochi Asi Bhul Gaye https://t.co/FkyJxdWQbV pic.twitter.com/zdmxYXYWH7
— DILJIT DOSANJH (@diljitdosanjh) January 4, 2021
આ પછી દિલજીત કહે છે, ‘મારે કંગનાને મારી પીઆર બનાવવી જોઈએ?’
https://twitter.com/diljitdosanjh/status/1346097088556277760
ત્યારે દિલજીતે બીજો ટ્વિટ કર્યું, ‘મને સમજાતું નથી કે તેમને ખેડૂત સાથે શું સમસ્યા છે? મેડમ જી સારા પંજાબના ખેડૂતો સાથે છે. કોઈ તમારા વિશે વાત કરતું નથી. અમે હજી કાંઈ ભૂલ્યા નથી. ‘
Mainu Eh SAMJH Ni Aundi ke Enu Kisan’an Ton Ki Prob. aa?
Madam Ji Sara PUNJAB HEE KISAN’AN DE NAAL AA.. Tusi Twitter te Bhulekhe Ch Zindagi Jee Rahe Hon..
TERI TAN KOI GAL V NI KAR RIHA..
Akhey “ SADDI NA BULAI MAI LAADEY DI TAEE”
OH HISAAB TERA AA.. https://t.co/QTUXjsJj9E
— DILJIT DOSANJH (@diljitdosanjh) January 4, 2021
તેના જવાબમાં કંગનાએ ટિ્વટ કર્યું હતું કે, ‘સમય કહેશે, મિત્ર કે કોણ ખેડુતોના હક્કો માટે લડ્યું હતું અને કોણ તેમની વિરુધ્ધ, 100 જૂઠાણું એક સત્ય છુપાવી શકશે નહીં. અને જેને તમે હૃદયથી ચાહો છો તે ક્યારેય નફરત ન આપી શકે, તમે શું વિચારો છો? શું તમારા કારણે પંજાબ મારી વિરુદ્ધમાં થઈ જશે ? હા હા આટલા મોટા મોટા સ્વપ્નો ન જોશો તરુ હૃદય તૂટી જશે. ‘