Taarak Mehta Ka Ooltah Chasmahનાં સેટથી સારા સમાચાર, દયાબેન શોમાં કરશે શાનદાર વાપસી

જો તમે 'Taarak Mehta Ka Ooltah Chasmahના ચાહક છો, તો અમે તમને એક સારા સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ. ફરી એકવાર, દયાબેન શોમાં ગરબા રમતા જોવા મળશે. આ શોમાં સૌથી ગમતું પાત્ર જેઠાલાલ અને દયાબેન છે. દયાબેન થોડા વર્ષોથી શોની બહાર હતા, પરંતુ હવે તે ગોકુલધામ સોસાયટીમાં પાછા આવી રહ્યાં છે.

Taarak Mehta Ka Ooltah Chasmahનાં સેટથી સારા સમાચાર, દયાબેન શોમાં કરશે શાનદાર વાપસી
Taarak Mehta Ka Ooltah Chasmah
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 08, 2021 | 1:20 PM

જો તમે ‘Taarak Mehta Ka Ooltah Chasmahના ચાહક છો, તો અમે તમને એક સારા સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ. ફરી એકવાર, દયાબેન શોમાં ગરબા રમતા જોવા મળશે. આ શોમાં સૌથી ગમતું પાત્ર જેઠાલાલ અને દયાબેન છે. દયાબેન થોડા વર્ષોથી શોની બહાર હતા, પરંતુ હવે તે ગોકુલધામ સોસાયટીમાં પાછા આવી રહ્યાં છે. આ સમાચાર દયા બેનના ભાઈ સુંદરે જેઠાલાલને આપી છે.

ચાહકો થયા ઉત્સાહિત

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. શોએ ચાહકોનું મનોરંજન કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. શોએ ટીઆરપી ચાર્ટમાં ટોપ 5 માં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો માટે એક સારા સમાચાર છે. દયાબેન છેલ્લા ત્રણ વર્ષથી આ શોમાંથી ગાયબ હતા. પ્રેક્ષકો દયાબેન પાછા ફરવાની આતુરતાથી રાહ જોતા હતા અને તે દરમિયાન દયાના ભાઈ સુંદરલાલે દયાબેનનાં પરત આવવાની પુષ્ટિ કરી છે. ચાહકો પણ આ સમાચાર સાંભળીને ઉત્સાહિત છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

દયાના ભાઈએ ખુશખબર આપી

શોના એપિસોડમાં, સુંદરલાલ તેના જીજાજીના ઘરે પહોંચે છે અને તેની સાથે દયાબેનનાં પરત ફરવાના સમાચાર લઈને આવે છે. સુંદરલાલ જેઠાલાલને કહે છે કે તેણે નવો રિયલ એસ્ટેટનો ધંધો શરૂ કર્યો છે. આ સાથે, તે જેઠાલાલને દયાબેન દ્વારા લખેલો પત્ર આપે છે, જેમાં તેમના પરત આવવા અંગે પુષ્ટિવ આપી  છે. દયાબેન પાછા ફર્યાના સમાચાર સાંભળીને જેઠાલાલ ભાવુક થઈ જાય છે અને ખુશીથી ઝૂમવા લાગે છે. દયાબેન શોમાં પાછા ફર્યા બાદ માત્ર જેઠાલાલ જ નહીં પરંતુ ચાહકો પણ ખુશ થશે.

The good news from the set of Taarak Mehta Ka Ooltah Chasmah, Dayaben is returning to the show

Taarak Mehta Ka Ooltah Chasmah

શો માટે દયાબેન ખૂબ જ મહત્વપૂર્ણ છે

આ શોમાં અભિનેત્રી દિશા વાકાણી કેમ અને કેટલી મહત્વની છે તેનો અંદાજ આસાનીથી લગાવી શકાય છે કે ભલે તે છેલ્લા ઘણા સમયથી શોમાં જોવા મળી ન હતી, ન તો તેની પરત આવવાની કોઈ તારીખની પુષ્ટિ કરી રહી હતી. છતાં નિર્માતાઓએ આજદિન સુધી કોઈને તેનું સ્થાન આપ્યું ન હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે દયાબેન એટલે કે દિશા વાકાણીને ગોકુલધામના સમગ્ર મહિલા મંડળમાં સૌથી વધુ ફી મળે છે. ફક્ત મહિલા મંડળ જ નહીં, પરંતુ આ શોના દરેક કલાકારથી ઘણી વધારે ફી દિશા લેતી હતી.

આ માટે લીધો હતો બ્રેક

જાણીતું છે કે દયાબેનની હાસ્ય અને સંવાદ ડિલિવરીએ દર્શકોનું મનોરંજન કર્યું છે. તેનું પાત્ર પ્રેક્ષકોમાં ખૂબ પ્રખ્યાત થઈ ગયું છે. દયાનું પાત્ર ભજવનારી દિશા વાકાણીએ પોતાની અનોખી શૈલીને કારણે દયા બેનના પાત્રે લોકોના દિલમાં સ્થાન બનાવી લીધુ છે. પરંતુ માતા બન્યા પછી તેણે શોને અલવિદા કહી દીધી હતું. દયાબેન ત્રણ વર્ષ પછી ફરી શોમાં પરત ફરી રહ્યા છે જે સમાચારે જ ચાહકોમાં ઉત્તેજના જગાવી દીધી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">