Gangubai Kathiawadi Controversy : સંજય લીલા ભણશાળી અને આલિયાની ફિલ્મનો વિરોધ કરતા લોકોની પોલીસે ધરપકડ કરી

સંજય લીલા ભણશાળી (Sanjay Leela Bhansali) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) ની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) નો વિરોધ વધી રહ્યો છે.

Gangubai Kathiawadi Controversy : સંજય લીલા ભણશાળી અને આલિયાની ફિલ્મનો વિરોધ કરતા લોકોની પોલીસે ધરપકડ કરી
Gangubai Kathiawadi
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 07, 2021 | 5:38 PM

Gangubai Kathiawadi Controversy : સંજય લીલા ભણશાળીની ફિલ્મો અંગે ક્યારેય વિવાદ ન હોય તેવું શક્ય નથી. હવે તાજેતરમાં જ તેમની અને આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી સામે વિરોધ ચાલી રહ્યો છે. કામઠીપુરાના લોકો મુંબઈમાં આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા હતા, જેને હવે પોલીસે કસ્ટડીમાં લીધા છે. કમાઠીપુરા એ મુંબઈનો રેડ લાઇટ વિસ્તાર છે, પરંતુ હવે ત્યાંના યુવાનો આ સ્થળની છબી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી તે માને છે કે આ ફિલ્મથી તેમનું સ્થાન વધુ ખોટું બતાવવામાં આવી રહ્યું છે.

કમાઠીપુરાના વિરોધ કરી રહેલા યુવા નેતાએ કહ્યું કે, “અમારી જગ્યાને શરીફ વસાહતોનો દરજ્જો કેમ નથી મળતો”. હવે કમાઠીપુરાની સારી છબિ બતાવવાની જરૂર છે. પરંતુ હવે મુંબઈ પોલીસે બધાને નાગપાડા પોલીસ સ્ટેશનમાં રાખ્યા છે. બ્રિટિશરોએ તેમના સૈનિકો માટે આ રેડ લાઇટ વિસ્તારને ‘કમ્ફર્ટ ઝોન’ તરીકે તૈયાર કર્યો હતો, પરંતુ આ જગ્યાઓ સેક્સ વર્કર્સ માટે નરક કરતાં કંઇ ઓછી નથી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આખો વિવાદ શું છે

સંજય લીલા ભણશાળી દિગ્દર્શિત આલિયા ભટ્ટ સ્ટારર ગંગુબાઈ કાઠિયાવાડીનું ટીઝર તાજેતરમાં રિલીઝ થયું છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંના લોકો માને છે કે ફિલ્મ દ્વારા કમાઠીપુરાના 200 વર્ષ જુના ઇતિહાસને બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકો કહે છે કે તે અપમાનજનક છે, શરમજનક છે અને કમાઠીપુરાના રહેવાસીઓની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. કમાઠીપુરાના લોકોએ સામાજિક કલંકને નાબૂદ કરવા માટે ખૂબ જ મહેનત કરી છે અને આ ફિલ્મ કમાઠીપુરાની હાલની અને ભાવિ પેઢિયો માટે અત્યંત નુકસાનકારક છે, આવી સ્થિતિમાં હવે અહીંના લોકો ફિલ્મનો વિરોધ કરશે અને તેના પર પ્રતિબંધની માંગ પણ કરી શકે છે.

એવું નથી કે પ્રથમ વખત કમાઠીપુરાનો ઉલ્લેખ થયો છે. આ પહેલા આ ક્ષેત્રનો ઉલ્લેખ સરફરોશ ફિલ્મમાં પણ કરવામાં આવ્યો છે. આ સિવાય ટૂંક સમયમાં એક ફિલ્મ ‘ઈન્ડિયા લોકડાઉન’ પણ આવી રહી છે, આ ક્ષેત્રનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ગંગુબાઈ કાઠિયાવાડી મુંબઈની એક પ્રખ્યાત કોઠેવાલી હતી, જેને તેના પતિએ માત્ર 500 રૂપિયામાં વેચી હતી. આ ફિલ્મમાં, ગંગુબાઈના જીવનના સંઘર્ષ બતાવવામાં આવ્યા છે કે તેણે કેવી રીતે નાની ઉંમરે લગ્ન કર્યા હતા અને કેવી રીતે તેણીને તેના પતિ દ્વારા કોઠા પર વેચી દેવામાં આવી હતી. આ ફિલ્મ 30 જુલાઈ, 2021 ના ​​રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">