Drugs Case : NCBએ Dia Mirzaના પૂર્વ મેનેજરની ધરપકડ કરી, 200 કિલો ગાંજો પકડયો

ડ્રગ્સ કનેક્શન કેસમાં એનસીબીની તપાસનો વ્યાપ સતત વધી રહ્યો છે. એક પછી એક બોલીવુડ હસ્તીઓના નામ આવી રહ્યા છે. હવે સમાચાર છે કે એનસીબીએ આ કેસમાં મિર્ઝાના એક્સ મેનેજરની ધરપકડ કરી છે.

Drugs Case : NCBએ Dia Mirzaના પૂર્વ મેનેજરની ધરપકડ કરી, 200 કિલો ગાંજો પકડયો
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 10, 2021 | 4:27 PM

ડ્રગ્સ કનેક્શન કેસમાં એનસીબીની તપાસનો વ્યાપ સતત વધી રહ્યો છે. એક પછી એક બોલીવુડ હસ્તીઓના નામ આવી રહ્યા છે. હવે સમાચાર છે કે એનસીબીએ આ કેસમાં મિર્ઝાના એક્સ મેનેજરની ધરપકડ કરી છે. એક અહેવાલ મુજબ શનિવારે એનસીબીએ આ કાર્યવાહી હાથ ધરી હતી અને ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચાર લોકોમાં બે ભારતીય અને બે બ્રિટિશ નાગરિક હતા. આ દરમિયાન એનસીબીએ ગાંજા પણ જપ્ત કર્યા હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે, ધરપકડ કરાયેલા ભારતીયોમાં એક છે દિયા મિર્ઝાની પૂર્વ મેનેજર રહીલા ફર્નિચરવાલા. ત્યાજ બીજી ભારતીય રહીલાની બહેન સાહિસ્તા કહેવામાં આવી રહી છે.

આ મામલે એનસીબીની તપાસ ચાલી રહી છે. એનસીબી તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેટલીક માહિતીના આધારે બાંદ્રા પશ્ચિમમાં એક કોરિયર માંથી ગાંજો મળી આવ્યો હતો. આ પછી, ઓપરેશન દરમિયાન કરણ સજાનાની (બ્રિટીશ નાગરિક) ના ઘરેથી એક વિશાળ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. અહીંથી થોડી માહિતી મેળવ્યા બાદ એનસીબીની તપાસ રેહિલા ફર્નિચરવાલા સુધી પહોંચી હતી અને તેની અને તેની બહેન પાસેથી ગાંજો મળી આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન એનસીબીએ કુલ 200 કિલો ગાંજો કબજે કર્યા છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

તમને જણાવી દઇએ કે આ પહેલા એનસીબીએ અર્જુન રામપાલની બહેનને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. ખરેખર, ડ્રગ્સ કેસમાં અર્જુન રામપાલની તેની બહેનને પૂછપરછ કર્યા બાદ તેમની બહેનને બોલાવવામાં આવી હતી. અર્જુન રામપાલ એ બોલિવૂડ કલાકારોમાંના એક છે જેમના નામ ભાગ્યે જ કોઈ વિવાદમાં આવ્યા છે. પરંતુ અર્જુન રામપાલ ડ્રગ્સના મામલાને કારણે ચર્ચામાં રહ્યા છે. આ કેસમાં 22 ડિસેમ્બરે અભિનેતાની બીજી વખત પૂછપરછ થવાની હતી, પરંતુ એનસીબી દ્વારા તેમને 21 ડિસેમ્બરના રોજ સમન પાઠવવામાં આવ્યું હતું. 16 નવેમ્બરના રોજ અર્જુન રામપાલની પ્રથમ પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ, તેના કેટલાક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોને એનસીબીએ કબજે કરી ફોરેન્સિક્સ માટે મોકલ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">