Taarak Mehta Ka Ooltah Chashmahના જેઠાલાલે લીધી કોરોનાની વેક્સિન, જણાવ્યો અનુભવ

કોરોનાનો કહેર વધતો જાય છે અને બીજી તરફ વેક્સિન અભિયાન વેગ પકડતું જાય છે. તાજેતરમાં જેઠાલાલે કોરોના વક્સીન લીધી હતી.

Taarak Mehta Ka Ooltah Chashmahના જેઠાલાલે લીધી કોરોનાની વેક્સિન, જણાવ્યો અનુભવ
દિલીપ જોશી
Follow Us:
| Updated on: Apr 02, 2021 | 11:26 AM

તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં પોતાના અદભૂત અભિનયથી દરેકના દિલ જીતનારા અભિનેતા દિલીપ જોશીએ કોરોના વેક્સિન લીધી છે. અભિનેતાએ ગુરુવારે તેની પત્ની સાથે કોરોનાની વેક્સિન લીધી હતી. અભિનેતાએ માત્ર સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ જ શેર કર્યો નથી પરંતુ સાથે સાથે ફેન્સ માટે વિશેષ અપીલ પણ કરી છે.

દિલીપ જોશીએ લીધી કોરોના વેક્સિન

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

દિલીપ જોશીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે- વાસ્તવિક મજા દરેક સાથે આવે છે. મેં અને મારી પત્નીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જો તમે પણ કોરોના રસી મેળવવા માટે લાયક છો, તો રસીકરણ કરાવો. હોલી સ્પિરિટ હોસ્પિટલનો વિશેષ આભાર, જેમણે રસીકરણનો અનુભવ સારો બનાવ્યો. દિલીપની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે અને બધા ચાહકો તેમને શુભેચ્છા પાઠવતા જોવા મળી રહ્યા છે.

દિલીપ જોશી સિવાય તાજેતરમાં જ અમિતાભ બચ્ચને પણ કોવિડ રસી લગાવી દીધી છે. તેમણે તેમના સ્વાસ્થ્ય વિશે પણ વિગતવાર વાત કરી. અમિતાભ સાથે સાથે તેના પરિવારના સભ્યોએ પણ કોરોના વેક્સિન લીધી હતી.

અમિતાભ બચ્ચને વેક્સિન અંગે શું કહ્યું

અમિતાભ બચ્ચને પોતાની ટ્વિટમાં લખ્યું છે, “લગાવડાવી લીધી, મેં આજે બપોરે કોરોના રસી લીધી છે. બધુ ઠીક છે.” આ સાથે, તેમણે તેમના ટ્વિટમાં હાથ જોડતા ઇમોજીનો પણ સમાવેશ કર્યો હતો. આ સિવાય, તેમણે બ્લોગમાં કોવિડ રસી લાગુ કરવાના અનુભવને વિગતવાર લખ્યું છે. તેમણે લખ્યું, “ડન … રસી લગાવી દીધી છે … બધુ બરાબર છે. ગઈકાલે મારા પરિવાર અને સ્ટાફનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો.”

દિલીપ જોશી, અમિતાભ બચ્ચન ઉપરાંત ધર્મેન્દ્ર, સતિષ શાહ, જોની લિવર, જિતેન્દ્ર, હેમા માલિની, સલમાન ખાન જેવા દિગ્ગજ નેતાઓને કોરોના રસી મળી છે. તેઓ આ માહિતી તમામ સોશિયલ મીડિયા પર પણ શેર કરી રહ્યા છે અને દેશના અન્ય નાગરિકોને પણ તેમની જવાબદારીઓ નિભાવવા અપીલ કરી રહ્યા છે.

જાહેર છે કે તારક મહેતાના અભિનેતા સુંદર અને ભીડે બંને તાજેતરમાં કોરોના સંક્રમિત થયા હતા. અને આના કારણે સેટ પર ચિંતા વધી ગઈ હતી.

આ પણ વાંચો: Corona: બોયફ્રેન્ડ રણબીર કપૂર બાદ હવે ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ કોરોનાની ઝપેટમાં

આ પણ વાંચો: Big B પરિવારે લીધી કોરોના વેક્સિન: વેક્સિન લીધા બાદ અમિતાભે કહ્યું કંઇક આવું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">