Sooryavanshi ફિલ્મ રિલીઝ પર મંડરાયા ભયના વાદળો, કોરોનાના વધતા જતા કેસ કારણ ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૂર્યવંશીના નિર્માતાઓ ફરી ફિલ્મની રિલીઝની તારીખ લંબાવી શકે છે. મુંબઈમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોથી તણાવ વધ્યો છે. નિર્માતાઓને ડર છે કે મહારાષ્ટ્ર સરકાર ફરીથી લોકડાઉન જાહેર ન કરી દે.

Sooryavanshi ફિલ્મ રિલીઝ પર મંડરાયા ભયના વાદળો, કોરોનાના વધતા જતા કેસ કારણ ?
Sooryavanshi
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 04, 2021 | 10:23 PM

અભિનેતા અક્ષય કુમારની મેગા બજેટ ફિલ્મ સૂર્યવંશી તકલીફોમાં ફસાઈ રહી છે. આ ફિલ્મ અગાઉ ગયા વર્ષે માર્ચમાં રિલીઝ થવાની હતી, હવે 2021 ની પણ શરૂઆત થઈ ગઈ છે અને રિલીઝ અંગે કંઇ સ્પષ્ટ નથી. જ્યારે દેશમાં કોરોના કેસ ઘટવા માંડ્યા અને ભારત સરકાર દ્વારા થિયેટરમાં ઓક્યુપેંસી વધારવામાં આવી ત્યારે નિર્માતાઓએ પણ તેમની ફિલ્મ્સની રિલીઝની તારીખ જાહેર કરવાનું શરૂ કર્યું છે.

શું ફરી મુલતવી રહેશે સૂર્યવંશીની રિલીઝ ?

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

હવે આ સૂચિમાં કહેવામાં આવી રહ્યું હતું કે, રોહિત શેટ્ટી પણ સૂર્યવંશી વિશે મોટી જાહેરાત કરી શકે છે. 2 એપ્રિલનાં રોજ પણ રિલીઝ ડેટ પણ સામે આવી હતી, પરંતુ તે બધી અટકળો હતી. હવે આ અટકળો વચ્ચે ચાહકોને મોટો આંચકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૂર્યવંશીના નિર્માતાઓ ફિલ્મની રિલીઝની તારીખ લંબાવી શકે છે. મુંબઈમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોથી તણાવ વધ્યો છે. નિર્માતાઓને ડર છે કે મહારાષ્ટ્ર સરકાર ફરીથી લોકડાઉન જાહેર ન કરી દે. તે જ સમયે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો સિનેમા હોલમાં પ્રતિબંધ લગાવવામાં આવે તો બોક્સ ઓફિસના કલેકશન પર તેની અસર નક્કી છે.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

કોરોનાના વધતા જતા કેસોને કારણે મેકર્સને ટેંશન

આ કારણોસર એવું કહેવામાં આવી રહ્યું છે કે સૂર્યવંશીને જોવા ચાહકોને વધુ રાહ જોવી પડી શકે છે. નિર્માતાઓ ફિલ્મને ત્યારે રિલીઝ કરવાના મૂડમાં છે જ્યારે પ્રેક્ષકો પણ હોલમાં જઈ શકે અને કોરોનાના મામલાઓ પણ કાબૂમાં આવે. સૂર્યવંશી સિવાય, રિલાયન્સ એન્ટરટેનમેન્ટની 83 પણ અનેક વખત મુલતવી રાખવામાં આવી છે. આ ફિલ્મ આ વર્ષે 4 જૂને રિલીઝ થવાની છે. ફિલ્મમાં રણવીર સિંહ સાથે દીપિકા પાદુકોણ લીડ રોલમાં કામ કરી રહી છે.

અક્ષય કુમાર વિશે વાત કરીએ તો સૂર્યવંશી સિવાય તેમની પાસે બેલ બોટમ, અતરંગી રે, બચ્ચન પાંડે જેવી ઘણી ઉત્તમ ફિલ્મો છે. આ સિવાય અભિનેતા રામ સેતુ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવવા જઇ રહ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">