Unlock બાદ ફરી ધમધમશે Cinema Hall, જલ્દી શરૂ થશે 50 ટકાથી વધારે બેઠકોની મંજૂરી સાથે હોલ
કેન્દ્ર સરકાર થિયેટરોમાં બેઠકોની સંખ્યા 50 ટકાથી વધુ થવા દેવાની વિચારણા કરી રહી છે. જો કે, સિનેમા (Cinema) ગૃહોએ કડક માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે.
કેન્દ્ર સરકાર થિયેટરોમાં બેઠકોની સંખ્યા 50 ટકાથી વધુ થવા દેવાની વિચારણા કરી રહી છે. જો કે, સિનેમા (Cinema) ગૃહોએ કડક માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે. માહિતી અને પ્રસારણ મંત્રાલય નવી માર્ગદર્શિકા (Guidelines) જાહેર કરશે.
2020માં કોરોના વાયરસ ફાટી નીકળ્યા પછી, દેશભરમાં થિયેટરો બંધ થઈ ગયા હતા. 15 Octoberથી કેન્દ્ર સરકારે Unlockમાં સિનેમાઘરો ખોલવાની શરતી મંજૂરી આપી હતી. આ માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી, જે સિનેમાઘરોએ તેનું પાલન કરવાનું હતું. માર્ગદર્શિકા અનુસાર થિયેટરોએ તેમની ક્ષમતાના 50 ટકા બેઠકો જ બુક કરવાની હતી, પરંતુ નવી પરિસ્થિતિમાં સરકાર આ સંખ્યામાં વધારો કરી રહી છે. ગૃહ મંત્રાલય દ્વારા પરિસ્થિતિનું અવલોકન કર્યા પછી ટૂંક સમયમાં જ કોઈ નવો નિર્ણય લઈ શકે છે.
Union Home Ministry issues an order to enforce guidelines for surveillance, containment & caution which will be effective from Feb 1 to Feb 28; states/UTs mandated to continue to enforce containment measures & SOPs on various activities & COVID appropriate behaviour. pic.twitter.com/owHbYZVgmt
— ANI (@ANI) January 27, 2021
આ નિર્ણયથઈ નિશ્ચિતરૂપે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વેગ મળશે અને ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો હજારો રોજગાર ફરીથી ધમધમવા મંડશે. કોરોના મહામારીના કારણે અટકેલી ફિલ્મો પણ ફિલ્મ રસિકોને મનોરંજન પૂરું પડશે અને કોરોના સ્થિતિ સામાન્ય થઈ રહી છે તેનો સંદેશો આપશે.