Sai Pallavi : કાશ્મીરી પંડિતો પર નિવેદન આપીને ફસાઈ ગયેલી સાઉથ સ્ટાર સાઈ પલ્લવી સામે પોલીસમાં નોંધાયો કેસ

ફિલ્મ વિરાતા પર્વમના (Virata Parvam) પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યુમાં સાઈ પલ્લવીએ કાશ્મીરી પંડિતોને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યારબાદ તે વિવાદોમાં આવી ગઈ છે.

Sai Pallavi : કાશ્મીરી પંડિતો પર નિવેદન આપીને ફસાઈ ગયેલી સાઉથ સ્ટાર સાઈ પલ્લવી સામે પોલીસમાં નોંધાયો કેસ
Sai PallaviImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2022 | 4:02 PM

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ સાઈ પલ્લવી (Sai Pallavi) અત્યારે વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે. આજકાલ સાઈ તેની આગામી ફિલ્મ વિરાતા પર્વમને (Virata Parvam) લઈને ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ સાઈ પલ્લવી તેની ફિલ્મનું પ્રમોશન જોરશોરથી કરી રહી છે. પરંતુ તાજેતરમાં જ સાઈ પલ્લવીએ આપેલા એક નિવેદનને કારણે તે વિવાદોમાં આવી ગઈ છે. તાજેતરમાં જ એક્ટ્રેસે સાઈ પલ્લવીએ પોતાના એક ઈન્ટરવ્યુ દરમિયાન કાશ્મીરી પંડિતો વિશે કંઈક એવું કહ્યું હતું, જેના પછી સોશિયલ મીડિયા પર વિવાદ થઈ ગયો છે. આ વિવાદ એટલો વધી ગયો કે તેની સામે કેસ નોંધવામાં આવ્યો.

સાઈ પલ્લવી વિરુદ્ધ નોંધવામાં આવ્યો કેસ

કાશ્મીરી પંડિતો પર નિવેદન આપ્યા બાદ એક્ટ્રેસ સાઈ પલ્લવી સામે કેસ નોંધવામાં આવ્યો છે. બજરંગ દળના નેતાઓએ સુલતાન બજાર પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ સાઈ પલ્લવી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. એક્ટ્રેસ સાઈ પલ્લવીએ ઈન્ટરવ્યુમાં જે પણ કહ્યું તેના પર લોકોમાં ગુસ્સો દેખાઈ રહ્યો છે. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વિશે નિવેદન આપવા ઉપરાંત એક્ટ્રેસ પર ગૌરક્ષકને લઈને વિવાદાસ્પદ નિવેદન આપવાનો પણ આરોપ છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

વીડિયો જોયા બાદ એક્શન લેશે પોલીસ

એક્ટ્રેસ સાઈ પલ્લવી વિરુદ્ધ કેસ નોંધ્યા બાદ પોલીસ તરફથી નિવેદન પણ આવ્યું છે. પોલીસનું કહેવું છે કે તેઓ પહેલા તે વીડિયો જોશે, ત્યાર બાદ જ તેઓ તેના પર કોઈ એક્શન લેશે. આ સાથે આ બાબત પર લીગલ ઓપિનિયન પણ લેવામાં આવશે. પલ્લવીએ તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં બોલિવૂડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને તેમની હત્યાના સીનની સરખામણી મોબ લિંચિંગ સાથે કરી છે. એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં સાઈ પલ્લવીએ કહ્યું- ‘હું એક ન્યુટ્રલ વાતાવરણમાં મોટી થઈ છું. મેં લેફ્ટ વિંગ અને રાઇટ વિંગ વિશે ઘણું સાંભળ્યું છે. પણ હું કહી શકતી નથી કે કોણ સાચું છે અને કોણ ખોટું છે.

સાઈ પલ્લવીએ આગળ શું કહ્યું?

સાઈ પલ્લવીએ આગળ કહ્યું કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કાશ્મીરી પંડિતોની કેવી રીતે હત્યા કરવામાં આવી હતી. થોડા સમય પહેલા એક ગાય લઈને જઈ રહેલા એક મુસ્લિમ વ્યક્તિને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો અને ધાર્મિક નારા લગાવવાનું કહેવામાં આવ્યું હતું. આ પણ ધર્મના નામે હિંસા જ છે. હવે આ બે ઘટનાઓમાં શું તફાવત છે? સાઈ પલ્લવીએ આગળ કહ્યું કે તેની ફેમિલીએ તેને હંમેશા સારી વ્યક્તિ બનવાની શીખ આપી છે. એક્ટ્રેસે કહ્યું કે તમારે પીડિતોની રક્ષા કરવાની જરૂર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">