Throwback: થિયેટર કરવાનો શોખ હતો Sushant Singh Rajputને, જુઓ એક્ટરના શોનો આ જુનો વીડિયો

સુશાંતને સૌથી સારી એ આદત હતી કે તેઓ પોતાની જાતને કોઈ કરતાં ઓછી માનતા ન હતા, જેના કારણે અભિનેતા તેના બધા કામમાં આગળ હતા. આજે અમે તમારા માટે સુશાંતના થિયેટર સમયનો એક વીડિયો લાવ્યા છીએ

Throwback: થિયેટર કરવાનો શોખ હતો Sushant Singh Rajputને, જુઓ એક્ટરના શોનો આ જુનો વીડિયો
Sushant Singh Rajput
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 10:41 PM

બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput) એક ટેલેન્ટેડ કલાકાર હતા, આ ઉદ્યોગમાં તેમનો કોઈ ગોડફાધર નહોતો. અભિનેતા પોતાની મહેનત અને સમર્પણથી ખુબ કામ કરીને પોતાનું નામ બનાવ્યું છે. બહુ ઓછા લોકો જાણે છે કે સુશાંતસિંહ થિયેટર પણ કરતા હતા. તેમને કોલેજના દિવસોમાં ભણતી વખતે થિયેટર કરવાનો ખૂબ શોખ હતો. જે અભિનેતા ખૂબ દિલથી કરતા હતા.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

સુશાંતને સૌથી સારી એ આદત હતી કે તેઓ પોતાની જાતને કોઈ કરતાં ઓછી માનતા ન હતા, જેના કારણે અભિનેતા તેના બધા કામમાં આગળ હતા. આજે અમે તમારા માટે સુશાંતના થિયેટર સમયનો એક વીડિયો લાવ્યા છીએ, જેમાં સુશાંત સ્ટેજ પર જોરદાર પરફોર્મન્સ દર્શાવતા જોવા મળી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના આ નાટકનું નામ આધે અધૂરે છે, જેમાં સુશાંતની બહેતરીન શૈલી જોવા મળી રહી છે.

આ અભિનયની તાકાત પર તેમને પ્રથમ સિરિયલમાં કામ મળ્યું અને પછી તેમણે ફિલ્મોમાં પણ ઘણું કામ કર્યું. અભિનેતા પાસે તે બધું હતું જે લોકો આજની દુનિયામાં મેળવવા માંગે છે. સુશાંતે બોલિવૂડમાં ઘણી જોરદાર ફિલ્મોમાં કામ કર્યું, આ સાથે તેમણે સિરિયલોમાં કામ કરતી વખતે પણ લોકોના દિલમાં ઘણી જગ્યા બનાવી. આજ કારણ હતું કે પ્રેક્ષકો તેમને ખૂબ પ્રેમ કરતા હતા.

જુઓ સુશાંત સિંહ રાજપૂતનો આ જૂનો વીડિયો

View this post on Instagram

A post shared by Maahi (@maahimayuri)

14 જૂન, 2020ના રોજ, 1 વાગ્યે સમાચાર આવ્યા કે સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં નથી. પોલીસ અને ડોક્ટરોનું કહેવું છે કે તેમણે પોતે પોતાનો જીવ લીધો, પોલીસ પાસે કોઈ પુરાવા નથી કે કોઈએ તેમની હત્યા કરી છે. એટલું જ નહીં, 1 વર્ષથી વધુ સમયની તપાસ બાદ પણ કોઈ એ કહી શક્યું નહીં કે અભિનેતાએ શા માટે તેમનો જીવ લીધો, જે સમયે સુશાંતે પોતાનો જીવ લીધો હતો, તેમના ખાતામાં 5 કરોડથી વધુ નાણાં પડેલા હતા. અમને ખબર નથી પણ એવું કંઈક હતું જે હજી સુધી જાણી શકાયું નથી.

સુશાંતના મૃત્યુ બાદ તેમના નજીકના ઘણા લોકોની પોલીસે ધરપકડ કરી હતી અને તેમને તપાસ માટે પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ કોઈ મોટો પુરાવો સામે આવી શક્યો ન હતો. આજે પણ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે. પરંતુ તેમના હાથમાં અત્યાર સુધી કંઈ મોટું આવ્યું નથી.

આ પણ વાંચો: સૌંદર્યમાં જ નહીં પણ ફિટનેસમાં પણ દરેકને માત આપે છે Urvashi Rautela, જીમ રુટીન તમને કરશે આશ્ચર્યચકિત

આ પણ વાંચો: TMKOC: ભિડે અને જેઠાલાલ વચ્ચે ફરી થવાની છે જબરદસ્ત લડાઈ, જાણો હવે શું છે કારણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">