Sushant Sister Appeal :સુશાંતનું સત્ય બહાર લાવે CBI, અભિનેતાની બહેને સીબીઆઈને ફરી યાદ અપાવી તેમની ફરજ

સુશાંતની બહેને લખ્યું છે કે 'તમે અમારું ગૌરવ હતા, છો અને રહેશે! જુઓ દરેક તમને દિલથી કેટલો પ્રેમ કરે છે, બધા તમારા માટે સતત લડી રહ્યા છે. હું મા દુર્ગાને પ્રાર્થના કરું છું. માતા, સત્યને સામે લાવો જેથી અમારા બેચેન દિલને થોડી શાંતિ મળે.

Sushant Sister Appeal :સુશાંતનું સત્ય બહાર લાવે CBI, અભિનેતાની બહેને સીબીઆઈને ફરી યાદ અપાવી તેમની ફરજ
Sushant Singh Rajput
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 9:49 PM

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મૃત્યુને લગભગ દોઢ વર્ષ થઈ ગયું છે. 14 જૂન, 2020 ના રોજ, સુશાંત મુંબઈના બાંદ્રામાં તેમના ફ્લેટમાં ફાંસીનાં ફંદા પર લટકાતા મળ્યા હતા. પરંતુ આજદિન સુધી જાણી શક્યા નથી કે મોત પાછળનું કારણ શું હતું. તેમનો પરિવાર અને તેમના ચાહકો હજુ પણ વિનંતી કરી રહ્યા છે કે સુશાંતને ન્યાય મળવો જોઈએ. સીબીઆઈએ તેમના મૃત્યુનું કારણ શું હતું તેની બારીકાઈથી તપાસ કરવી જોઈએ.

બહેન શ્વેતાની નવી અપીલ (Sushant Sister Appeal)

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

તમને જણાવી દઈએ કે શ્વેતા સતત ન્યાયની માંગ કરી રહી છે. આ લડાઈમાં તેઓ ઘણી વાર પોતાને ક્યારેક વિવશ, લાચાર અને અસહાય પણ મહેસુસ કરે છે. ફરી એકવાર તેમણે પોતાના દિવંગત ભાઈ માટે CBI ને સોશિયલ મીડિયા પર અપીલ કરી છે.

સુશાંતની બહેન સુશાંતના મૃત્યુ બાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેમના ભાઈ સાથે જોડાયેલી યાદો અને તસ્વીરો શેર કરીને પોતાની લાગણીઓ શેર કરે છે, આવી સ્થિતિમાં તેમણે ફરી એક વખત સુશાંતની તસ્વીર શેર કરીને એક ભાવનાત્મક પોસ્ટ દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યું છે.

તેમણે લખ્યું છે કે ‘તમે અમારું ગૌરવ હતા, છો અને રહેશે! જુઓ દરેક તમને દિલથી કેટલો પ્રેમ કરે છે, બધા તમારા માટે સતત લડી રહ્યા છે. હું મા દુર્ગાને પ્રાર્થના કરું છું. માતા, સત્યને સામે લાવો જેથી અમારા બેચેન દિલને થોડી શાંતિ મળે.

આ સાથે તેમણે ટ્વિટર પર એક વીડિયો પણ શેર કર્યો અને લખ્યું કે આ વીડિયો બનાવ્યાને એક વર્ષ વીતી ગયું છે, સત્યને શોધવા માટે સીબીઆઈ તપાસ અમારી એકમાત્ર આશા હતી. અમે આટલા લાંબા સમયથી ધીરજ રાખી રહ્યા છીએ! અમે સીબીઆઈને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આપણી સામે સત્યનો ખુલાસો કરે. #JusticeForSushantSinghRajput

ચાહકો પણ ન્યાયની માંગ કરી રહ્યા છે

શ્વેતાની આ પોસ્ટ્સ ખૂબ વાયરલ થઈ રહી છે. બહેન અને સુશાંતના ચાહકોએ ફરી એકવાર આ મામલે સીબીઆઈ દ્વારા સક્રિય તપાસની માંગણી શરૂ કરી છે. ગયા વર્ષે 14 જૂને અભિનેતાનો મૃતદેહ તેમના ઘરેથી મળ્યો હતો. શરૂઆતમાં આને આત્મહત્યા કહેવામાં આવી હતી. બાદમાં સીબીઆઈ તેની તપાસમાં લાગી ગઈ. જોકે આ સમગ્ર મામલાની તપાસ હજુ ચાલુ છે.

તમને જણાવી દઈએ કે સુશાંત આત્મહત્યા કેસની તપાસમાં અત્યાર સુધી ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી છે. તે જ સમયે, સુશાંતના પરિવારના સભ્યોએ પણ સીબીઆઈને આ કેસમાં હત્યાના એન્ગલથી તપાસ કરવા કહ્યું છે. આ કેસમાં તપાસ ચાલુ છે.

આ પણ વાંચો :- Kartik Aaryan New Film: કાર્તિક આર્યન બનશે ‘શહેઝાદા’, ક્રિતી સેનન બનશે તેમની શહેઝાદી, જાણો ક્યારે આવશે ફિલ્મ?

આ પણ વાંચો :- સોશિયલ મીડિયા પર સુષ્મિતા સેનનો વીડિયો થયો વાયરલ, માંડ-માંડ પડતા-પડતા બચી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">